સંયુક્ત આરબ અમીરાત (UAE) એ અચાનક OPEC અને OPEC+ ને અલવિદા કહીને સમગ્ર વિશ્વના ઊર્જા બજારમાં હલચલ મચાવી દીધી છે. ઈરાન યુદ્ધને કારણે, પહેલેથી જ ઊંડું તેલ સંકટ છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા અસ્થિર બની ગઈ છે. ભારત કાચા તેલ માટે આયાત પર નિર્ભર છે. આવી સ્થિતિમાં જો વૈશ્વિક પુરવઠાને અસર થશે તો ભારત પણ તેનાથી અછૂત નહીં રહે. ભારત UAEથી મોટા પ્રમાણમાં તેલની આયાત કરે છે. સ્વાભાવિક છે કે જો આટલા મોટા સપ્લાયર પાસેથી તેલનો સપ્લાય બંધ થઈ જશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધશે અને તેની અસર ભારત પર પણ પડશે.
ભારત પર તેની કેટલી અસર થવાની સંભાવના છે?
નિષ્ણાતોનું કહેવું છે કે તેલના મામલે ભારત કોઈ એક દેશ પર નિર્ભર નથી. આવી સ્થિતિમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા જલ્દી વધવાના નથી. હવે આ બાબતમાં સરકારની નીતિઓ, ટેક્સ અને વૈશ્વિક તેલ બજારની સ્થિતિ મોટી ભૂમિકા ભજવશે. કેટલાક નિષ્ણાતો એવું પણ કહે છે કે તેલની અછતને કારણે ભારત નવા માર્ગો ખોલવાનો પ્રયાસ કરશે જે ભવિષ્ય માટે સારા રહેશે.
શું ઓપેક નબળું પડશે?
UAE ઓપેકનું બહુ જૂનું સભ્ય છે. તેના અલગ થવાથી સંગઠનની તાકાત પર મોટી અસર પડશે. આ કારણે OPEC અને OPEC+ ના નબળા પડવાની સંભાવના છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે યુએઈએ આ પગલું હોર્મુઝ બંધ થવા અને ઓઈલની ખૂબ જ ધીમી સપ્લાયને કારણે ઉઠાવ્યું છે. વિશ્વમાં ક્રૂડ ઓઇલનો પાંચમો ભાગ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સપ્લાય થાય છે. ઈરાન યુદ્ધ વચ્ચે આ માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ માટે સારા સમાચાર છે
ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી વખત ઓપેક વિરુદ્ધ નિવેદન આપી ચુક્યા છે. તેમનું કહેવું છે કે આ સંગઠન તેલની કિંમતો વધારીને દુનિયાને લૂંટી રહ્યું છે. ટ્રમ્પનું કહેવું છે કે તેઓ ખાડી દેશોની સુરક્ષા કરે છે જ્યારે ગલ્ફ દેશો ઊંચા ભાવે તેલ વેચીને નફો કમાય છે.

