પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ મંગળવારે કહ્યું હતું કે ભારત સામેની T20 વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય માત્ર બાંગ્લાદેશને ‘સન્માન’ લાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશે સુરક્ષા કારણોને ટાંકીને ભારતમાં રમવાનો ઇનકાર કર્યા બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ પછી, પાકિસ્તાન સરકારે જાહેરાત કરી હતી કે તેની રાષ્ટ્રીય ટીમ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી T20 વર્લ્ડ કપની ગ્રુપ મેચમાં ભારત સામે મેદાનમાં નહીં ઉતરે.
પીસીબી, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વચ્ચેની વાતચીત બાદ સોમવારે મોડી રાત્રે પાકિસ્તાન સરકારે બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.
નકવીએ કહ્યું, ‘અમારી વાતચીતનો મુદ્દો માત્ર બાંગ્લાદેશ હતો. અમારો એકમાત્ર ઉદ્દેશ્ય તેમને સન્માન આપવાનો અને તેમની સાથે થયેલા અન્યાયને પ્રકાશમાં લાવવાનો હતો. બાંગ્લાદેશની જે પણ માંગણીઓ હતી તે સ્વીકારવામાં આવી હતી. આ અમારો એકમાત્ર ઉદ્દેશ્ય હતો.

