પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચના બહિષ્કારને લઈને પહેલીવાર જાહેરમાં ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે તેમની સરકારે 15 ફેબ્રુઆરીની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય કાળજીપૂર્વક વિચાર્યા બાદ લીધો છે.
ભારત સામે T20 વર્લ્ડ કપ મેચના બહિષ્કારને યોગ્ય નિર્ણય ગણાવતા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે બાંગ્લાદેશને સમર્થન આપવાનો આ એક ‘વિચારીને’ નિર્ણય છે.
પાકિસ્તાન સરકારે તેની ક્રિકેટ ટીમને કોલંબોમાં 15 ફેબ્રુઆરીએ યોજાનારી ભારત સામેની મેચ ન રમવા માટે કહ્યું છે. આ પહેલા બાંગ્લાદેશને સુરક્ષા કારણોસર ભારતમાં રમવાનો ઇનકાર કરવાને કારણે વર્લ્ડ કપમાંથી હટાવી દેવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ સ્કોટલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
શરીફે કરાચીમાં એક સરકારી બેઠક બાદ કહ્યું, “અમે T20 વર્લ્ડ કપ પર સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે અમે ભારત સામે રમીશું નહીં કારણ કે રમતના મેદાન પર કોઈ રાજકારણ ન હોવું જોઈએ.”

