સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. અર્જુન અને સાનિયાએ ગયા વર્ષે ઓગસ્ટમાં ખૂબ જ ખાનગી સમારોહમાં સગાઈ કરી હતી. જે બાદ તેમના લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. 26 વર્ષીય અર્જુન અને સાનિયા 5 માર્ચે લગ્નના બંધનમાં બંધાશે.તાજેતરમાં સચિન તેંડુલકરે અર્જુન અને સાનિયાના લગ્ન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. સાનિયા અને સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરની ખૂબ જ ગાઢ મિત્રતા છે અને બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.
કોણ છે સાનિયા ચંદોક?
સાનિયા મુંબઈના એક પ્રખ્યાત બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. તે જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે, જે ગ્રેવિસ ગ્રુપના ચેરમેન છે. સાનિયાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી લીધી છે. સાનિયા ક્વોલિફાઇડ વેટરનરી ટેક્નિશિયન છે અને તેણે 2024માં વર્લ્ડવાઇડ વેટરનરી સર્વિસમાંથી તેનો ડિપ્લોમા મેળવ્યો હતો. તેની પાસે મુંબઈમાં શ્રી પૉઝ પેટ સ્પા એન્ડ સ્ટોર LLP નામની વૈભવી પાલતુ સંભાળ છે, પાલતુ પ્રાણીઓ માટેની આ ફર્મ 2022માં શરૂ કરવામાં આવી હતી. મુંબઈમાં તેના બે આઉટલેટ્સ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાનિયા ચંદોકે તેનું શિક્ષણ લંડનથી પૂરું કર્યું હતું, જ્યાં તેની મુલાકાત અર્જુન તેંડુલકર સાથે થઈ હતી. તે લાંબા સમયથી તેંડુલકર પરિવારની નજીક છે અને હવે તે અર્જુન તેંડુલકર સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્નની વિધિ 3 માર્ચ 2026ના રોજ શરૂ થશે અને મુખ્ય સમારોહ 5 માર્ચ 2026ના રોજ મુંબઈમાં યોજાશે. સચિન તેંડુલકરે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને સોનિયા ગાંધીને વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું છે
અર્જુન તેંડુલકરે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2020-21માં કરી હતી. તેણે 2021માં મુંબઈની ટીમ માટે ટી20 ડેબ્યૂ કર્યું હતું. અર્જુને વર્ષ 2022માં ગોવા માટે ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ A ડેબ્યૂ કર્યું હતું. અર્જુન IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે. તેણે 5 મેચમાં 3 વિકેટ ઝડપી હતી. વર્ષો સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહ્યા પછી, અર્જુનને આઈપીએલ 2026 મીની-ઓક્શન પહેલા લખનૌ સુપરજાયન્ટ્સમાં ટ્રેડ કરવામાં આવ્યો. તે આ સિઝનમાં કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી ટીમ માટે રમતા જોવા મળશે.

