ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચ નિર્ધારિત પ્રમાણે જ થશે કારણ કે પાકિસ્તાન સરકારે બાંગ્લાદેશ અને શ્રીલંકાને સમજાવ્યા બાદ મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં મેચ રમાવાની છે. “બહુપક્ષીય વાટાઘાટો અને મિત્ર દેશોની વિનંતીઓના પરિણામને પગલે, પાકિસ્તાન સરકારે પાકિસ્તાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને 15 ફેબ્રુઆરી, 2026 ના રોજ ICC મેન્સ T20 વર્લ્ડ કપની તેની નિર્ધારિત મેચો રમવા માટે નિર્દેશ આપ્યો,” પાકિસ્તાન સરકારે એક રિલીઝમાં જણાવ્યું હતું.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમીનુલ ઈસ્લામે અગાઉ જારી કરેલા નિવેદનમાં પાકિસ્તાનને ક્રિકેટના હિતમાં આ મેચ રમવાની વિનંતી કરી હતી. આ પછી જ સ્પષ્ટ થઈ ગયું કે પાકિસ્તાન આ મેચ રમશે.
પાકિસ્તાન સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ક્રિકેટની ભાવનાને બચાવવા અને તમામ ભાગ લેનારા દેશોમાં આ વૈશ્વિક રમતની સાતત્યને સમર્થન આપવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.”
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેનો પણ ફોન આવ્યો હતો જેણે તેમને બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી હતી.

