લક્ઝરી બસને અંબાજીના ત્રિશુલિયા ઘાટ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. આ અકસ્માતમાં 30થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રથી 20 દિવસના પ્રવાસે નીકળ્યા.
સૌરાષ્ટ્રમાંથી એક બસ વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કરવા અંબાજી ગઈ હતી. જેમાં ખાનગી બસમાં 50 થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન અંબાજી દર્શન કરી મોઢેરા જઈ રહ્યા હતા. જેમાં જામનગર, મોરબી અને રાજકોટથી મુસાફરો રવાના થયા હતા. અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર અચાનક લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી, આ દરમિયાન કેટલાક મુસાફરો બસમાં ફસાયા હતા. જેમાં અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 108 મારફત દાંતા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં 30 થી વધુ યાત્રાળુઓ ઘાયલ થયા છે. જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ કેટલાક મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાંથી એક બસ વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કરવા અંબાજી ગઈ હતી. જેમાં ખાનગી બસમાં 50 થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન અંબાજી દર્શન કરી મોઢેરા જઈ રહ્યા હતા. જેમાં જામનગર, મોરબી અને રાજકોટથી મુસાફરો રવાના થયા હતા. અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર લક્ઝરી બસ અચાનક પલટી ખાઈ ગઈ હતી, આ દરમિયાન કેટલાક મુસાફરો બસમાં ફસાયા હતા. જેમાં અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 108 મારફત દાંતા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં 30 થી વધુ યાત્રાળુઓ ઘાયલ થયા છે. જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ કેટલાક મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.