અમદાવાદઃ અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવતીકાલે રથયાત્રા પૂર્વે યોજાનારી શોભાયાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પરંપરાગત રીતે નીકળતી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા આ વખતે બુધવાર, 21 જૂન, અષાઢી બીજના દિવસે શરૂ થશે. આ રથયાત્રા પૂર્વે આવતીકાલે શોભાયાત્રા કાઢવામાં આવશે.
રથયાત્રા પહેલા આયોજિત આ યાત્રાનું પોતાનું મહત્વ છે. તેને રથયાત્રાનો પ્રથમ મુકામ માનવામાં આવે છે. આવતીકાલથી શરૂ થનારી જલયાત્રા માટે મંદિર પરિસરમાં તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બળદગાડાને શણગારવામાં આવી રહ્યા છે. શોભાયાત્રામાં સાબરમતી નદીના ભુદર આરેના કિનારે 108 કલશો લઈ જવામાં આવે છે અને 108 કલશો નદીના પાણીથી ભરવામાં આવે છે, ત્યારબાદ આ જળની પૂજા કરવામાં આવે છે. આ વખતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે નવા રથ તૈયાર કરવામાં આવ્યા છે.
રથયાત્રાની સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે
અમદાવાદમાં રથયાત્રા બાદ અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન, પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ વખતે રથયાત્રાની સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રોન, ફેસ ડિટેક્શન કેમેરા, પોલીસ બોડી વર્ન કેમેરા સહિતની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.