આજકાલ હાર્ટ એટેક એક મોટી ચિંતાનો વિષય છે. રાજ્યભરમાં હૃદયરોગના કારણે અનેક લોકોના મોત થયા છે ત્યારે અરવલી જિલ્લામાં મૃત્યુઆંક વધતા જિલ્લાવાસીઓ ચિંતામાં મુકાઈ ગયા છે.
અરવલ્લી જિલ્લાના માલપુરના ઉબરણ ગામમાં 36 વર્ષીય યુવાન વેપારીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાના 24 કલાકથી પણ ઓછા સમય બાદ આજે જિલ્લાના મેઘરજ તાલુકામાં હાર્ટ એટેકથી મોતનો એક કેસ નોંધાયો છે. મોટી પાંડુલીના 65 વર્ષીય ખેડૂત નગીન ખરાડી તેમના ખેતરમાં પાણી પી રહ્યા હતા ત્યારે અચાનક તેમની છાતીમાં દુખાવો થયો અને જોરથી ચીસો પાડવા લાગ્યો.
ત્યારે નજીકમાં કામ કરતો અન્ય એક ખેડૂત દોડી આવ્યો હતો. ત્યારે નગીનભાઈ ખેતરમાં પડ્યા હતા. સમગ્ર ઘટના અંગે ખેડૂત પરિવારને જાણ કરતાં પરિવારજનો નગીનભાઈને ઈસરી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ખેડૂત નગીન ખરાડીને મૃત જાહેર કર્યો હતો. આમ, અરવલી જિલ્લામાં હૃદયરોગના કારણે બીજા મૃત્યુથી જિલ્લાના લોકોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.
ત્યારે નજીકમાં કામ કરતો અન્ય એક ખેડૂત દોડી આવ્યો હતો. ત્યારે નગીનભાઈ ખેતરમાં પડ્યા હતા. સમગ્ર ઘટના અંગે ખેડૂત પરિવારને જાણ કરતાં પરિવારજનો નગીનભાઈને ઈસરી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ખેડૂત નગીન ખરાડીને મૃત જાહેર કર્યો હતો. આમ, અરવલી જિલ્લામાં હૃદયરોગના કારણે બીજું મોત નોંધાતા જિલ્લાવાસીઓમાં ચિંતા પ્રસરી છે.