સ્વચ્છતા હી સેવા અભિયાન અંતગર્ત રાજ્ય કક્ષાએ નક્કી કરાયેલી વિવિધ પહેલ હેઠળ સમગ્ર રાજ્યમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સઘન સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વિસનગરમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાનમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ભાગ લીધો હતો. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહાનગર પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જે આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત અલગ અલગ જગ્યાએ સફાઈ કરવામાં આવશે.
વિસનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા એજ સેવા અભિયાન અંતર્ગત 15-10-2023 થી 16-12-2023 સુધી સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વિસનગર શહેરના હરિહર સેવા મંડળ મંદિર સામે સફાઈ કરવામાં આવી હતી. વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી હૃષીકેશ પટેલ પણ આ પ્રવૃતિમાં જોડાયા હતા અને સેવાની સફાઈ કરી હતી. જેમાં પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ પણ ભાગ લીધો હતો.ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, પાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ, ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ મનીષ પટેલ, સેનીટેશન ચેરમેન જગદીશ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ સહિત પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. . આ કાર્યમાં.