યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં યુવરાજની ફરી એન્ટ્રી
યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં યુવરાજની વાપસી સાથે, અભિરા પર ફરી એકવાર ખતરો તોળાઈ રહ્યો છે. યુવરાજ કોઈપણ ભોગે અભિરા સાથે લગ્ન કરવા માંગે છે. જેના કારણે અક્ષરાએ જીવ ગુમાવ્યો હતો. આ સીરિયલમાં ગૌરવ શર્માએ યુવરાજનો રોલ કર્યો છે. ઈન્ડિયા ફોરમ સાથેની વાતચીતમાં ગૌરવે શોમાં તેની વાપસી વિશે વાત કરી. તેણે કહ્યું, આ પહેલાથી જ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તેને આશા નહોતી કે આટલી જલ્દી યુવરાજની રી-એન્ટ્રી થશે. તેણે કહ્યું, યુવરાજની સિક્વન્સ ખાસ હતી. “હું આવા સારા લોકો સાથે કામ કરવા માટે ભાગ્યશાળી માનું છું, અને જ્યાં સુધી ફરીથી પ્રવેશની વાત છે, તે આ વખતે વધુ મોટી હશે.