– નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસકાર્યોની વણઝાર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે અકબંધ રાખી
– વિશ્વ સ્તરે થઈ રહેલું સન્માન માત્ર નરેન્દ્ર મોદી જ નહીં ૧૩૦ કરોડથી વધુ ભારતીયો અને વિશેષતઃ ગુજરાતીઓનું
– સાંસદ તરીકે ૪ વર્ષ પૂર્ણ થતાં પહેલાં જ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ૧૮,૦૦૦ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતર્મુહુત થયા, જે આનંદની વાત
– અમદાવાદ શહેરમાં ૪૮,૦૦૦ ગરીબો માટે બની રહ્યા છે ઘરના ઘર, ૬૫,૦૦૦થી વધુ નાના ધંધાર્થીઓને પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોન અપાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદના સાંસદો, ધારાસભ્યો તથા મહાનગરપાલિકાના હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિ
****
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે,
– વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક પણ અઠવાડિયું એવું નથી ગયું જેમાં લોકાર્પણ કે ખાતર્મુહુત ન થયું હોય