મુખ્ય સભાગૃહનું ‘મોરારજી દેસાઈ મંડપમ’ તરીકે નામકરણ: વિદ્યાપીઠ રેડિયોનું લોકાર્પણ: કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મહાનુભાવો દ્વારા સ્વચ્છતા અર્પણ.
ગાંધીવિચારોના પુસ્તકોના ભંડારનું ઉદ્ઘાટન કરાયુંઃ નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠમાં શૈક્ષણિક વર્ષથી નવો અભ્યાસક્રમ અમલમાં મૂકાયોઃ અભ્યાસક્રમના પુસ્તકનું ઉદ્ઘાટન.
ગૂજરાત વિદ્યાપીઠને મૂલ્યોના માર્ગે પ્રગતિના પંથે લઈ જઈએ, તો જ મોરારજીભાઈ દેસાઈ સાચા અંજલિ કહેવાશેઃ શ્રી આચાર્ય દેવવ્રતજી.
એવા અમુક જ નેતાઓ છે જેમની જયંતી ઉજવવામાં આવે છે, જેમાંથી એક છે સ્વ.મોરારજીભાઈ દેસાઈઃ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા.
ગૂજરાત વિદ્યાપીઠે ભારતને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક શિક્ષણની સાથે સાથે ટેકનોલોજી સાથે જોડીને વિકાસ માટે પ્રયત્નશીલ રહેવાનો છેઃ કુલપતિ ડો. હર્ષદ પટેલ
(GNS),તા.29
અમદાવાદ,
ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અને ભૂતપૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રી મોરારજીભાઈ દેસાઈની 129મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠના રાજ્યપાલ અને કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાપીઠ કેમ્પસમાં આવેલા મુખ્ય સભાગૃહનું નામ ‘મોરારજી દેસાઈ મંડપમ’ રાખ્યું હતું.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2023-24 થી ગુજરાત વિદ્યાપીઠમાં અમલમાં આવનાર નવા અભ્યાસક્રમના પુસ્તકનું વિમોચન કર્યું હતું.