ચેન્નાઈ. તામિલનાડુમાં સોમવારે વિનાયક ચતુર્થી ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યભરના ગણેશ મંદિરોમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ લોકો પોતપોતાના ઘરે ગણેશ પૂજા કરવા માટે મૂર્તિઓ ખરીદવા બજારોમાં ઉમટી પડ્યા હતા. ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર માનવામાં આવે છે. તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ, વિરોધ પક્ષના નેતા અને અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆઈએડીએમકે)ના વડા ઈડાપ્પડી કે પલાનીસ્વામી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈએ વિનાયક ચતુર્થી પર લોકોને શુભેચ્છા પાઠવી હતી. રવિએ એક ટ્વીટમાં કહ્યું કે વિનયગર ચતુર્થીના શુભ તહેવાર પર શુભેચ્છા. ભગવાન વિનયગર બધાને જ્ઞાન, શક્તિ, સફળતા, સુખ અને સમૃદ્ધિ આપે.