જ્યારે ઘણી જગ્યાએ આગ લાગે છે, ત્યારે ક્યારેક આગ એટલી ગંભીર બની જાય છે. જેમાં પણ ભારે નુકશાન થાય છે. બિલ્ડીંગ હોય, દુકાન હોય કે ફેક્ટરી હોય, કોઈ ને કોઈ કારણસર આગ હંમેશા લાગે છે. પછી આગને કારણે જાન-માલનું મોટું નુકસાન થાય છે. આજે શક્તિપીઠ અંબાજીથી 30 કિમી દૂર માંડલી ગામમાં એક મકાનમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી.
દાંતા તાલુકાના મંડાલી ગામમાં રહેણાંકના છાંટના મકાનમાં ઘાસચારો ભરાયો હતો અને કોઈ કારણોસર આગ લાગી હતી. મંડાલી ગામમાં મકાનમાં આગ લાગતા લોકો દોડી આવ્યા હતા. અગમ્ય કારણોસર ઘરના ઉપરના ભાગે ઘાસચારો હોવાથી આગ ફાટી નીકળી હતી.લોકોએ ફાયર બ્રિગેડ અંબાજીને જાણ કરી હતી. આજુબાજુમાં રહેતા લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઘાસચારો નીચે ફેંકી દીધો હતો અને પાણી વડે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.