બનાસકાંઠા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમના દાણા ફસાઈ જતાં તેનું મોત થયું છે. જન્મદિવસની પાર્ટીમાં બાળકના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો હતો. માતાપિતા માટે આ એક ખતરાની ઘંટડી છે. દિયોદર ગોકુલનગરમાં ઘરના આંગણામાં રમતી વખતે દાડમના દાણા ગળામાં ફસાઈ જતાં દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું.