પાલનપુર શહેરના રેલ્વે સ્ટેશનની હદમાં આવેલા શીતલા માતાના મંદિરે ભક્તોની ભીડ જામી હતી. શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. જેમણે શીતળા માતાનું વ્રત પૂરું કર્યું, તેઓ ધન્ય બન્યા. પવિત્ર શ્રાવણ માસ એટલે તહેવારોની ઉજવણીનો મહિનો. શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમનો તહેવાર આજે પાલનપુર પંથકમાં શીતળા સાતમ પર્વની સર્વત્ર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પૂજારી જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, પાલનપુર રેલવે સ્ટેશન સ્થિત શીતળા માતાના મંદિરે ભક્તોનો ધસારો હતો.
અંજનાબેન ઠાકર અને સંગીતાબેન પ્રજાપતિ નામના ભક્તોએ જણાવ્યું હતું કે, આજે શીતળા માતાના પૌરાણિક મંદિરમાં ભાવિકોએ પોતાની મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી. પોલીસની હાજરી વચ્ચે શીતળા માતાના પ્રાચીન મંદિરે આજે શીતળા માતાના પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકમેળામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી હતી.
અંજનાબેન ઠાકર અને સંગીતાબેન પ્રજાપતિ નામના ભક્તોએ જણાવ્યું હતું કે, આજે શીતળા માતાના પૌરાણિક મંદિરમાં ભાવિકોએ પોતાની મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી. પોલીસની હાજરી વચ્ચે શીતળા માતાના પ્રાચીન મંદિરે આજે શીતળા માતાના પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકમેળામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી હતી.