છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને કોરોના બાદ હાર્ટ એટેકના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે ટીનેજરોથી માંડીને 20 થી 25 વર્ષની વયના લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.આજે પાલનપુરના એક હેલ્થ વર્કરનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ હેલ્થ વર્કર પાલનપુર હેડક્વાર્ટર ખાતે અર્બન હેલ્થ-2માં ફરજ બજાવતા હતા. ફરજ પર હતા ત્યારે તેને હુમલો થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. રાજેન્દ્રભાઈ કરેણ નામના 49 વર્ષીય કર્મચારીનું હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત થતા હોબાળો મચી ગયો છે. રાજેન્દ્રભાઈ અહીં 15 વર્ષથી નોકરી કરતા હતા. રાજેન્દ્રભાઈ પાલનપુર તાલુકાના માલણ ગામના રહેવાસી હતા.