પાલનપુરમાં મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મા કુમારી પરિવાર દ્વારા ભગવાન શિવની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સૃષ્ટિના સર્જનહાર ભગવાન શિવનો મહિમા દર્શાવવામાં આવ્યો હતો.
પાલનપુરમાં કાર્યરત બ્રહ્મા કુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે ભગવાન શિવની શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 11000 રૂદ્રાક્ષ સાથે 8 ફૂટ ઉંચા શિવલીંગ સાથેની ભવ્ય શોભાયાત્રાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. પાલનપુરના લક્ષ્મણ પહાડીથી નીકળેલી શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. જેનું સમાપન આકેસણ રોડ પર આવેલા બહુકુમારી સેન્ટર ખાતે થયું હતું. ભગવાન શિવની શોભાયાત્રાનું ઠેર-ઠેર ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્ત બ્રહ્મા કુમારી ભાઈ-બહેનો જોડાયા હતા.
પાલનપુરમાં કાર્યરત બ્રહ્મા કુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે ભગવાન શિવની શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 11000 રૂદ્રાક્ષ સાથે 8 ફૂટ ઉંચા શિવલીંગ સાથેની ભવ્ય શોભાયાત્રાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. પાલનપુરના લક્ષ્મણ પહાડીથી નીકળેલી શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. જેનું સમાપન આકેસણ રોડ પર આવેલા બહુકુમારી સેન્ટર ખાતે થયું હતું. ભગવાન શિવની શોભાયાત્રાનું ઠેર-ઠેર ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્ત બ્રહ્મા કુમારી ભાઈ-બહેનો જોડાયા હતા.