રાજીનામું આપનારા 8 સભ્યોમાં હેમંત પાંડે, મુકેશ ઋષિ, સાહિલા ચઢ્ઢા, હેતા પરમાર, પુનિત ઈસાર, વિંદુ દારા સિંહ, વિકાસ વર્મા અને દીપક પરાશરનો સમાવેશ થાય છે.
તેમના રાજીનામાના પત્રો CINTAAના જનરલ સેક્રેટરી ઉપાસના સિંઘને સુપરત કરવામાં આવ્યા હતા. પોતાના પત્રમાં તેણે આરોપ લગાવ્યો છે કે પૂનમ ધિલ્લોન, પદ્મિની કોલ્હાપુરે અને કેટલાક એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોએ મહત્ત્વના નિર્ણયો પર સતત પોતાનો અંકુશ વધાર્યો હતો, જેના કારણે તેણે આ પગલું ભરવું પડ્યું હતું.

