એવો આક્ષેપ છે કે વર્ષ 1987માં બનાસકાંઠાના વડગામમાં એક અરજદારને ફાળવવામાં આવેલ રાહત પ્લોટ તંત્ર દ્વારા આજદિન સુધી આપવામાં આવ્યો નથી. જેના વિરોધમાં આજે અરજદારે તેના પરિવારજનો સાથે ઘેટા-બકરા સાથે વડગામ તાલુકા પંચાયતમાં ધામા નાખ્યા હતા અને અધિકારીઓમાં દોડધામ શરૂ કરી હતી. અરજદારે ઠેકડી ઉડાવતા કહ્યું કે જ્યાં સુધી પ્લોટ નહીં મળે ત્યાં સુધી ઓફિસમાં જ રહીશું.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા પંચાયતમાં એક અરજદારે ઘરવખરીનો સામાન સાથે ઘેટાં-બકરાં લઈને તાલુકા પંચાયતમાં જ ધામા નાખ્યા છે. અરજદારને 1987માં રાહત પ્લોટ મળ્યો હતો અને તે આજ સુધી ન મળતા તેણે સરકારી તંત્રને અનેક અરજીઓ કરી હતી. પરંતુ તંત્રનું પેટ ન ભરાતા કંટાળીને અરજદાર ઘરવપરાશની ચીજવસ્તુઓ ભરેલ વાહન સાથે વડગામ તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ધામા નાખ્યા હતા. અરજદારે ચિમકીને જણાવ્યું છે કે જ્યાં સુધી પ્લોટ નહીં મળે ત્યાં સુધી હું અને મારો પરિવાર અહીં જ રહીશું. ધરમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે 1987માં મને રાહતદરે પ્લોટ મળ્યો હતો જે આજદિન સુધી મળ્યો નથી. જેના ન્યાય માટે હું મારા પરિવાર સાથે આજે પંચાયતમાં આવ્યો છું, મને ન્યાય જોઈએ છે. પ્લોટ ન મળે ત્યાં સુધી અમે અહીં જ રહીશું. આ બાબતે વડગામના ટીડીઓ જી.બી. ઠાકોરનો ટેલિફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ ટીડીઓનો સંપર્ક થઈ શક્યો ન હતો.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા પંચાયતમાં એક અરજદારે ઘરવખરીનો સામાન સાથે ઘેટાં-બકરાં લઈને તાલુકા પંચાયતમાં જ ધામા નાખ્યા છે. અરજદારને 1987માં રાહત પ્લોટ મળ્યો હતો અને તે આજ સુધી ન મળતા તેણે સરકારી તંત્રને અનેક અરજીઓ કરી હતી. પરંતુ તંત્રનું પેટ ન ભરાતા કંટાળીને અરજદાર ઘરવપરાશની ચીજવસ્તુઓ ભરેલ વાહન સાથે વડગામ તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ધામા નાખ્યા હતા. અરજદારે ચિમકીને જણાવ્યું છે કે જ્યાં સુધી પ્લોટ નહીં મળે ત્યાં સુધી હું અને મારો પરિવાર અહીં જ રહીશું. ધરમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે 1987માં મને રાહતદરે પ્લોટ મળ્યો હતો જે આજદિન સુધી મળ્યો નથી. જેના ન્યાય માટે હું મારા પરિવાર સાથે આજે પંચાયતમાં આવ્યો છું, મને ન્યાય જોઈએ છે. પ્લોટ ન મળે ત્યાં સુધી અમે અહીં જ રહીશું. આ બાબતે વડગામના ટીડીઓ જી.બી. ઠાકોરનો ટેલિફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ ટીડીઓનો સંપર્ક થઈ શક્યો ન હતો.