(રખેવાલ ન્યુઝ) પાલનપુર, બનાસકાંઠા જિલ્લાની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. HTAT પરીક્ષા પાસ થયેલા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે.
જો કે, આચાર્યની નિમણૂક ભરતી પ્રક્રિયામાં યોગ્યતાના આધારે કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં 188 સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. જેમાં વિવિધ 72 શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ઈન્ચાર્જ હેઠળ છે, આ ખાલી જગ્યાઓ ભરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં પાલનપુરની સરકારી હાઇસ્કૂલમાં 25 મે થી 7 જૂન દરમિયાન આચાર્યની જગ્યા માટે ઉમેદવારોની અરજીઓ સ્વીકારવામાં આવશે. H.Tat પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકે છે.
જો કે, ઉમેદવારોની અરજીઓ મળ્યા બાદ આચાર્યની પસંદગી માટે મેરિટ તૈયાર કરવામાં આવશે. અને મેરિટના આધારે પસંદગી પામેલા ઉમેદવારોને આચાર્ય તરીકે નિયુક્ત કરવામાં આવશે. જેના કારણે નજીકના ભવિષ્યમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઓમા આચાર્યની અછત પૂર્ણ થશે. આનાથી સરકારી અને માન્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણને વેગ મળશે.
જો કે, ઉમેદવારોની અરજીઓ મળ્યા બાદ આચાર્યની પસંદગી માટે મેરિટ તૈયાર કરવામાં આવશે. અને મેરિટના આધારે પસંદગી પામેલા ઉમેદવારોને આચાર્ય તરીકે નિયુક્ત કરવામાં આવશે. જેના કારણે નજીકના ભવિષ્યમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઓમા આચાર્યની અછત પૂર્ણ થશે. આનાથી સરકારી અને માન્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણને વેગ મળશે.