(જીએનએસ), 21
અમદાવાદમાં 20 જૂને એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. આ દરમિયાન એક દુઃખદ ઘટના બની. જ્યારે દરિયાપુર વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક એક મકાનની બાલ્કનીનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 11 લોકો ઘાયલ થયા છે.પોલીસ, હોમગાર્ડના જવાનો અને સ્થાનિક લોકોની મદદથી 108 લોકોને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટના અંગે ટ્વીટ કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર એક ઘરની બાલ્કની તૂટવાની ઘટના ખૂબ જ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. રાજ્ય સરકારે મૃતકના પરિવારને રૂ. 4 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની મદદ કરશે.