(GNS),તા.11
આજે તા.11/12/2023ને સોમવારના રોજ વિદ્યારાજ વિદ્યાપીઠ સંકુલના પ્રાંગણમાં પ્રોજેક્ટ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6 થી 12 ના 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કુલ 75 પ્રોજેક્ટ તૈયાર કરી તેમની કુશળતા પ્રદર્શિત કરી હતી. આ પ્રોજેક્ટ પ્રદર્શનના મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગરના પ્રોફેસર શ્રી કે. એસ. પરમાર સાહેબ, સત કેવલ મંદિરના મહંત શ્રી જનકદાસજી સ્વામી, ચિલોડા મોટી હાઈસ્કૂલના આચાર્યશ્રી માકાણી સાહેબ, સિહોલી મોટી હાઈસ્કૂલના આચાર્ય શ્રી સી. એસ. ઠાકોર સાહેબ અને શ્રી રસિકભાઈ ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં કાર્યક્રમની લ્હાણી થઈ હતી.
પ્રોજેક્ટ પ્રદર્શનના અંતે વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય માર્કસ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી અજીતસિંહ વાઘેલા સાહેબ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી ભરતભાઈ ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ નિદર્શનની સફળતા બદલ સંસ્થાના પ્રમુખ શ્રી ડૉ. કુલદીપસિંહ સિસોદીયા સાહેબ અને શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી મહેશભાઈ પ્રજાપતિ સાહેબે સૌને અભિનંદન પાઠવ્યા હતા.