સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે 10 વર્ષના સમયગાળા માટે ભારતીય સેના માટે ઇલેક્ટ્રોનિક ફ્યુઝની ખરીદી માટે જાહેર ક્ષેત્રની ઉપક્રમ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) સાથે રૂપિયા 5,300 કરોડથી વધુના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.કંપનીના શેરે 1 મહિનામાં 18.76 ટકા રીતરણ આપ્યું છે.. ઇલેક્ટ્રોનિક ફ્યુઝ એ મધ્યમથી ભારે કેલિબરની તોપનો અભિન્ન ભાગ છે. મંત્રાલયે કહ્યું કે તોપમાં ઉપયોગ માટે ફ્યુઝની ખરીદી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ તોપો ઉત્તરીય સરહદો પર ઊંચાઈવાળા વિસ્તારો સહિત વિવિધ પ્રકારના ભૂપ્રદેશમાં ઘાતક પ્રહાર કરવામાં સક્ષમ છે.. આ પ્રોજેક્ટનો હેતુ નિકાસ ઘટાડવા માટે દારૂગોળાનો સ્ટોક વધારવાનો છે. “રક્ષા મંત્રાલયે 15 ડિસેમ્બરે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ પૂણે સાથે 10 વર્ષના સમયગાળા માટે ભારતીય સેના માટે ઈલેક્ટ્રોનિક ફ્યૂઝની પ્રાપ્તિ માટે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા”.. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ ભારતીય ઉદ્યોગ દ્વારા ભારતીય સેના માટે સાધનસામગ્રીના ઉત્પાદન હેઠળ પ્રાપ્તિ માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. BELના પુણે અને નાગપુર પ્લાન્ટમાં ઇલેક્ટ્રોનિક ફ્યુઝનું ઉત્પાદન કરવામાં આવશે…
ભારતે માહિતી અને ટેક્નોલોજી ઉત્પાદનો પરની ભારતની ઈમ્પોર્ટ ડ્યુટી સામે યુરોપિયન યુનિયન દ્વારા દાખલ કરાયેલા કેસમાં વિશ્વ વેપાર સંગઠન (WTO) વેપાર વિવાદ સમાધાન પેનલના નિર્ણય સામે અપીલ કરી છે. બંને પ્રદેશો પરસ્પર સંમત ઉકેલ (MAS) સુધી પહોંચી શક્યા ન હોવાથી ભારતે આ પગલું ભર્યું હતું.. વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ પીયૂષ કુમારે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, ‘ભારત અને EU MAS સુધી પહોંચવા માટે છેલ્લા સાત મહિનાથી વાટાઘાટો કરી રહ્યા હતા, પરંતુ EUએ હવે પેનલના અહેવાલને સ્વીકારવા માટે 7 ડિસેમ્બરે અરજી કરી છે. અને તેથી ભારત તેની સામે WTOમાં 8 ડિસેમ્બરે અપીલ કરી છે. MAS ના ભાગ રૂપે, EU અમુક માલસામાન પર કસ્ટમ ડ્યુટી છૂટની માંગ કરી રહ્યું હતું, જે ભારતને સ્વીકાર્ય ન હતું કારણ કે તે WTO નિયમોનું ઉલ્લંઘન કરે છે. કુમારે કહ્યું કે આ મુક્ત વેપાર કરારમાં જ આપી શકાય છે.. સંચાર રાજ્ય મંત્રી દેવસિંહ ચૌહાણે શુક્રવારે સંસદમાં જણાવ્યું હતું કે ટેલિકોમ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળ 42 અરજદાર કંપનીઓ દ્વારા કુલ રૂ. 4,014 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. તેમાંથી સરકારને ઓક્ટોબર 2023ના અંત સુધીમાં રૂ. 2,725 કરોડનું રોકાણ મળ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ટેલિકોમ સાધનો માટેની PLI યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. 8,804 કરોડના ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 15,500 થી વધુ નવી નોકરીઓનું સર્જન થયું છે.
ડિસ્ક્લેમર: શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા નિષ્ણાત પાસે રોકાણ સંબંધીત સલાહ લીવી આવશ્યક છે.