મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદાના સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો.
સરદાર સરોવર ડેમમાંથી ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. 2 લાખ 61 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. નર્મદા ડેમની જળ સપાટી 137.96 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદાના સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે ડેમમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે ડાઉનસ્ટ્રીમના વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વડોદરા, ભરૂચ અને નર્મદાના કાંઠા વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ડેમના 15 દરવાજા પાણી લેવા માટે ખોલવામાં આવ્યા છે. પાણીની આવક સામે ડેમમાંથી 2 લાખ 60 હજાર ક્યુસેક પાણીનો ઉપાડ નોંધાયો છે. સરદાર સરોવર ડેમમાં RBPH અને CHPH પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. અગાઉ ડેમમાંથી પાણી છોડવાને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદાના નીચાણવાળા વિસ્તારના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા.