ગુજરાત બાર કાઉન્સિલના અભૂતપૂર્વ વ્યુહાત્મક ચૂંટણી જંગમાં અનેક હિતશત્રૂઓના વ્યુહાત્મક ચક્રવ્યુહને ભેદીને અનેક પડકારો વચ્ચે ચૂંટણી જંગ જીતીને સમરસ જુથનું નેતૃત્વ જાળવી રાખતા જે. જે. પટેલ ?!
શું આને ચૂંટણીની પારદર્શકતા કહેવાય ?! એકડાનું પરિણામ જાહેર થયા પછી બાર કાઉન્સિલના અનેક ઉમેદવારોએ આ સવાલ ‘વેસ્ટર્ન ટાઈમ્સ’ સમક્ષ રજૂ કર્યાે છે !
પ્રથમ તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલના મત ગણતરી સ્થળની છે ! ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરીયમ હોલની છે ! જયાં ગોકળ ગાયની ગતિએ પ્રથમ પ્રેફરન્સના મતો ગણવાની કાર્યવાહી પૂર્ણ થતાં કોને કેટલા એકડા મળ્યા તેની જાહેરાત થઈ ગઈ છે !
જેમાં શ્રી જે. જે. પટેલ અને શ્રી આફતાબહુસેન એ. અન્સારી જીતનો કવોટા પાર કરતા જીતેલા જાહેર થયા છે ! બાકીના ઉમેદવારો હવે ચાતક નજરે, લાચારી સાથે બહાર બેઠા, બેઠા ટોપલીઓ ઉંધી પાડવાની રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી ?! બીજી તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણી કમિશ્નર શ્રી હસમુખભાઈ પરીખ, જોઈન્ટ ચૂંટણી કમિશ્નર શ્રી રશ્મિનભાઈ જાની, જોઈન્ટ ચૂંટણી કમિશ્નર શ્રી મીલનભાઈ પટેલની છે !
તેઓ પણ મત ગણતરી પૂર્ણ થયા પછી જે આંકડા આપે તે તેઓ વકીલ ઉમેદવારો સમક્ષ જાહેર કરે છે ! અને દર વખતે શાંતિ જાળવી રાખવા અપીલ કરે છે ! તેની આ બોલતી તસ્વીર છે ! પરંતુ મત ગણતરીમાં વકીલોએ ફકત આંકડા જાણવાના બીજું કશું નહીં ?! તા. ૧૪-૦૩-૨૦૨૬ ના રોજ ચૂંટણી કમિશ્નરશ્રીને સવાલ પુછયો હતો કે, છેલ્લા એક કલાક “પેટીઓ” કેમ નહોતા દેખાડતા ?!
તેનો જવાબ આપતા ચૂંટણી કમિશ્નર શ્રી હસમુખભાઈ પરીખે કહ્યું હતું કે, “ડીસ્ટ્રીબ્યુટ થયેલા વોટ હતાં જે પેક થતાં હતાં અને અંદર મુકાતા હતાં”!! આનો અર્થ એ છે કે, દરેક ઉમેદવારોના મનમાં આ વખતે કોઈને કોઈ શંકા રહે છે ?! કેટલાકે તો ત્યાં સુધી કથિત શંકા કરી છે કે, આ તો સમરસ પેનલ ને જીતાડવા માટેનો વ્યુહ ચાલે છે ?! એકાદા અન્સારીને જીતાડી દે તો બચાવ થઈ શકે ને ?!
ખરેખર આવું કોઈના હાથમાં ન હોઈ શકે ?! પણ શંકા કરનારાને કઈ રીતે રોકી શકાય ?! નીચેની બીજી તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલ અને તેમના ટેકેદારોની છે ! તેમની જીતની ખુશીમાં વકીલો ખુશી મનાવી રહ્યા છે ! અનેક પ્રકારના હિતશત્રૂઓના પડકારને ઝીલીને ચૂંટાઈ આવેલા શ્રી જે. જે. પટેલને ૧૯૪૯ મતે વિજયની વરમાળા પહેરી છે !
ફોજદારી કોર્ટ બારના પૂર્વ પ્રમુખ શ્રી બી. એમ. ગુપ્તા, ફોજદારી બારના પૂર્વ સેક્રેટરી શ્રી હર્ષદભાઈ જાની, હાઈકોર્ટ બારના પ્રમુખ શ્રી યતિનભાઈ ઓઝા, ફોજદારી કોર્ટ જુનીયર્સ એડવોકેટ બારના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ રૂપેરા, જાણીતા નોટરી અને એડવોકેટ શ્રી ઓમપ્રકાશભાઈ શાંખલા, અમદાવાદ બારના પૂર્વ પ્રમુખ શ્રી વિનોદચંદ્ર દિક્ષીત તથા
ગુજરાત હાઈકોર્ટના મહિલા એડવોકેટ સુશ્રી ઉન્નતિ રાજપુત, સ્મોલકોઝ કોર્ટ બારના સેક્રેટરી શ્રીમતી વૈશાલીબેન ભટ્ટે હાર્દિક શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા છે ! બીજી તરફ ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ સભ્યો શ્રી પરેશભાઈ વાઘેલા, શ્રી પ્રવિણભાઈ પટેલ, શ્રી કરણસિંહ વાઘેલા, શ્રી મુકેશભાઈ કામદાર, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી મનોજભાઈ અનડકટ, શ્રી ભરતભાઈ ભગત, શ્રી અનિલભાઈ કેલ્લા,
શ્રી કિરીટભાઈ બારોટની જીતની સંભાવના છે ! તેમણે ૧૯૨૯ નો કવોટા પાર કરવાનો રહેશે ! પરંતુ આ વખતે આ તમામ ઉમેદવારોના મતો ગઈ ચૂંટણી કરતા ઓછા હોવાનું ચર્ચાય છે ! જોઈએ બીજા નવોદિત ઉમેદવારો સ્પર્ધામાં છે તેથી ૧૮ સીટોમાં ચૂંટાવાનું છે ! કારણ કે પાંચ સીટો મહિલા ઉમેદવારો માટે અનામત છે ??!
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે સરસ કહ્યું છે કે, “રાજકારણમાં કશું અચાનક બનતું નથી, જો કશું બન્યું હોય તો ખાતરી રાખજો કે આવું થવા માટે બહું પહેલેથી આયોજન થયું હોય છે”!! જયારે મહાન રાજકીય તત્વજ્ઞાની ચાણકયે અદ્દભૂત કહ્યું છે કે, “સૌથી મોટો ગુરૂમંત્ર છે તમારા રહસ્યો કોઈને ના કહો જો તમે જ તમારા રહસ્યો ગોપનીય રાખી ન શકતા હો તો બીજા પાસે તેની અપેક્ષા કેવી રીતે રાખી શકો”!!

