કાચા લાઈસન્સની કામગીરી રિવર્સ ગિયરમાં ! ર૮ ફેબ્રુ.પછી આઈટીઆઈના કરાર રિન્યુ થયા નથી -ર૦૧૯થી આઈટીઆઈને કામ સોંપાયું હતું
(એજન્સી)અમદાવાદ, રાજય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા પ્રજાલક્ષી સુવિધાઓના નામે રાજયની શૈક્ષણીક આઈટીઆઈ સસ્થાઓમાં અત્યાર સુધી ચાલતી વાહનના કાચા લાઈસન્સની કામગીરીમાં રીવર્સ ગિયર મુકાશે આગામી ૩૧મી માર્ચ પછી એપોઈન્મેન્ટ મળી બંધ થઈ હોવાથી આ સુવિધા બંધ થવાના આરે હોવાનું મનાય છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ગત ર૮મી ફેબ્રુઆરીએ પુરો થયેલો કરાર રીન્યુ નહી થતાં કદાચ આઈટીઆઈ સંસ્થાઓમાં આ કામગીરી બંધ થઈ શકે છે ! જો આમ થશે તો વાહનના કાચાં લાઈન્સની પરીક્ષા માત્ર આરટીઓ કચેરીમાં લેવાનું ચાલુ રહેશે. આ સિવાય કાચા લાઈસન્સની પરીક્ષા ઘરે બેઠા પણ આપી શકશે. જોકે આ અંગે સત્તાધીશોના મૌનથી અનેક સવાલો સર્જાયા છે.
બીજી બાજુ આરટીઓ અધિકારીઓ પણ આ મામલે અજાણ છે. અગાઉ ડબલ્યુઆઈએએ સંસ્થામાં કામગીરી બંધ કર્યા બાદ હવે આઈટીઆઈ સંસ્થામાં પણ કામગીરી સમેટાઈ શકે છે. વહીવટી પારદર્શીતાના દાવા વચ્ચે ઉચ્ચ અધિકારીઓની ગુપ્તાના અને અસ્પષ્ટ નીતીને કારણે અરજદારો હાલ મુંઝવણમાં છે. હાલમાં આઈટીઆઈમાં રોજની અંદાજે ૪,પ૦૦ એપોઈન્ટમેન્ટ લેવાયા છે.
સમય રાજયની રરપ આઈટીઆઈ સંસ્થાઓમાં વર્ષ ર૦૧૯ની વાહનના કાચા લાઈસન્સની પરીક્ષાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી.જેથી આરટીઓમાં કામનુંભારણ ઘટે હાલની સ્થિતીએ ૩૧મી માર્ચે બાદની કોઈ એપોઈન્મેન્ટ સિસ્ટમમાં દેખાતી નથી. સૌથી મોટા પ્રશ્ન એ અરજદારોને છે જેમણે ફી ભરી દીધી છે. અને કદાચ પરીક્ષામાં નાપાસ થયા છે.
તેવા ઉમેદવારોએ રીટેસ્ટ માટે કયાં જવું ? શું તેમની જુની ફી માન્ય રહેશે આ બાબતે આરટીઓમાં અધિકારીઓને પુરતી જાણકારી નહી હોવાથી તેઓ કોઈ સ્પષ્ટતા કરી શકતા નથી. ઉચ્ચ અધિકારીઓ વિગતો છુપાવીને પ્રજાને ગેરમાર્ગે દોરી રહયા હોવાથી ચર્ચા છે. ખરેખર તો કરાર રીન્યુ નહી થતા જ વાહનવ્યવહાર વિભાગે સ્પષ્ટતા કરી દેવી જોઈએ. જે નહીકરવામાં આવતા મુંઝવણ વધી રહી છે. વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, આ નીતીવિષયક નિર્ણય હોવાથી હાલ કોઈ કહી શકાય નહી.

