અમદાવાદ, વડોદરામાં નશો કરીને કાર ચલાવી અકસ્માત સર્જનારા રક્ષિત ચૌરસિયાને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનને સુપ્રીમ કોર્ટ સમક્ષ એક અપીલ મારફતે રાજ્ય સરકારે પડકારી હતી. જોકે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે રાજ્ય સરકારની અપીલ રદ કરી હતી અને જામીન મંજૂર કરવાના હાઇકોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યાે છે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૫ના વડોદરા કાર અકસ્માત કેસમાં આરોપીઓને નિયમિત જામીન આપવાના ગુજરાત હાઇકોર્ટના આદેશને પડકારતી સ્પેશિયલ લીવ પિટિશન ફગાવી દીધી હતી. ૨૩ વર્ષીય કાયદાના વિદ્યાર્થી રક્ષિત ચૌરસિયા પર માર્ચ ૨૦૨૫માં નશામાં ધૂત થઈને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો આરોપ હતો. જેના પરિણામે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને નવ અન્ય લોકો ઘાયલ થયા હતા.
રાજ્ય સરકારના વકીલે દલીલ કરી હતી કે આરોપીએ ડ્રગ્સ લીધું હતું અને ત્રણ અકસ્માત કર્યા હતા. તે પછી, તે બહાર આવ્યો અને ‘અનઅધર રાઉન્ડ અનઅધર રાઉન્ડ’. તેને દુર્ઘટના સર્જયાનો બિલકુલ પસ્તાવો નહોતો. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે નોંધ્યું કે તે લગભગ નવ મહિનાથી કસ્ટડીમાં છે, શું તેને વધુ કસ્ટડીમાં કેમ રાખવા માંગો છો? રાજ્યના વકીલે જવાબ આપ્યો કે આરોપી સમાજ માટે જોખમી છે અને ડ્રગનો વ્યસની છે. તેની સામે નાર્કાેટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ બીજી ફરિયાદ પણ દાખલ થઇ છે.
રાજ્ય સરકારે દલીલ કરી હતી કે હાઈકોર્ટે ફક્ત એટલા માટે જામીન આપ્યા હતા કે તે ૨૩ વર્ષનો હતો અને આ ઘટના ડ્રગ્સના પ્રભાવ હેઠળ બની હતી. પરંતુ ડ્રગ્સનું સેવન કરવાની બાબત તેના પક્ષમાં કેવી રીતે હોઈ શકે.
ખંડપીઠે પૂછ્યું હતું કે આ કેસમાં મહત્તમ સજા શું છે. આ કૃત્ય ઇરાદાપૂર્વક અથવા જાણી જોઇને કરવામાં આવ્યું ન હતું. રાજ્યના વકીલે જવાબ આપ્યો કે જ્યારે કોઈ ડ્રગ્સનું સેવન કર્યા પછી વાહન ચલાવે છે, ત્યારે તે કોઇ પણ વ્યક્તિના જીવન માટે જોખમ ઊભું કરી શકે એ ધ્યાનમાં રાખીને મ્દ્ગજીની કલમ૧૦૫ હેઠળ અપીલ કરવામાં આવે છે. ખંડપીઠે નોંધ્યું કે તે નવ મહિના કસ્ટડીમાં રહી ચૂક્યો છે અને આ સાથે અરજી ફગાવી દીધી હતી.SS1MS

