પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે સંઘર્ષ વધુ ઉગ્ર થતો જોવા મળી રહ્યો છે. હુથી વિદ્રોહીઓએ 29 માર્ચ, રવિવારના રોજ ઇઝરાયલ વિરૂદ્ધ વધુ એક મોટી સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. આ હુમલામાં બેલેસ્ટિક મિસાઇલ, ક્રૂઝ મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે આ વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બની છે.
બીજી સૈન્ય કાર્યવાહી શરૂ કરવાનો દાવો
હુથિઓએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે આ તેમનું “બીજું લશ્કરી ઓપરેશન” છે, જે તેઓએ દક્ષિણ કબજા હેઠળના પેલેસ્ટિનિયન પ્રદેશોમાં મહત્વપૂર્ણ ઇઝરાયેલ લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવીને હાથ ધર્યું હતું.
જૂથના સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ ટેલિગ્રામ પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં દાવો કર્યો છે કે ઓપરેશનના તમામ ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પ્રાપ્ત થયા છે.
‘પવિત્ર જેહાદ યુદ્ધ’ નામનું અભિયાન
હુથીઓએ આ કાર્યવાહીને “પવિત્ર જેહાદ યુદ્ધ”ના ભાગ તરીકે વર્ણવી હતી. તેમણે કહ્યું કે ઈરાન અને હિઝબુલ્લાહ જેવા સહયોગી જૂથોની સૈન્ય ગતિવિધિઓ સાથે સંકલન કરીને આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
નિવેદન અનુસાર, આ ઓપરેશન હેઠળ ઘણા મહત્વપૂર્ણ સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને આ કાર્યવાહી આ વિસ્તારમાં ચાલી રહેલા વ્યાપક વિદ્રોહ વિરોધી અભિયાનનો એક ભાગ છે.
બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન વડે હુમલો
હુથિઓના દાવા મુજબ, તેઓએ ઇઝરાયેલના લક્ષ્યો પર બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી, અને ક્રુઝ મિસાઇલો અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તેમણે એમ પણ કહ્યું કે આ તેમનો “પ્રથમ મોટો સંકલિત હુમલો” હતો, જેમાં એક સાથે વિવિધ શસ્ત્ર પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જૂથે ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમના નિર્ધારિત ઉદ્દેશ્યો સિદ્ધ નહીં થાય ત્યાં સુધી આવા હુમલા ચાલુ રહેશે.
સંઘર્ષનો અવકાશ વધવાના સંકેતો
આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ પહેલાથી જ ચરમસીમા પર છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીત ચાલુ છે, પરંતુ જમીની સ્તરે સંઘર્ષ સતત વધી રહ્યો છે.
અહેવાલો અનુસાર, આ સમગ્ર સંઘર્ષ 28 ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલા બાદ શરૂ થયો હતો. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખમેની માર્યા ગયા હતા, જે બાદ તહેરાને જવાબી કાર્યવાહી શરૂ કરી હતી.
ગલ્ફ ક્ષેત્રમાં પણ તણાવ વધ્યો છે
ઈરાનની જવાબી કાર્યવાહીના ભાગરૂપે ગલ્ફ વિસ્તારમાં ઈઝરાયેલ અને અમેરિકા સાથે જોડાયેલા ટાર્ગેટને નિશાન બનાવવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. તેનાથી સમગ્ર પશ્ચિમ એશિયામાં અસ્થિરતા વધી છે.
નિષ્ણાતોનું માનવું છે કે હવે આ સંઘર્ષ માત્ર બે દેશો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ઘણી પ્રાદેશિક શક્તિઓ તેમાં સામેલ થઈ રહી છે, જેના કારણે સ્થિતિ વધુ જટિલ બની રહી છે.
આ પણ વાંચો-ઈરાન યુદ્ધમાં ફસાઈ ગયું અમેરિકા, પછી ચીને તાઈવાનને ઘેરી લીધું! 19 ફાઈટર જેટ અને 9 નેવી જહાજો તૈનાત

