અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખ્રિસ્તી સમુદાયના ટોચના ધાર્મિક નેતા પોપ પર આકરા પ્રહારો કર્યા હતા. ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવાની પોપની સલાહ પર તેમણે કહ્યું હતું કે મારે કોઈ પાદરીના અભિપ્રાયની જરૂર નથી. હવે પોપ લીઓ XVI એ તેમની ટિપ્પણીનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે મને રિપબ્લિકન સરકારનો કોઈ ડર નથી. તેમણે કહ્યું કે મેં શાંતિ અને સૌહાર્દની અપીલ કરી હતી. આમાં કશું ખોટું નથી. તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે શાંતિની વાત કરે છે. મેં તેનાથી અલગ કંઈ કહ્યું નથી. તેમણે કહ્યું કે મેં ફક્ત જીસસ ક્રાઈસ્ટના સંદેશને આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો છે.

