અમદાવાદ, અક્ષય તૃતિયાના મંગલ પ્રસંગે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પત્ની ડૉ.પ્રીતિબેન અદાણીએ ગુજરાતના તારંગાની ટેકરીઓમાં બિરાજમાન અજિતનાથ ભગવાન શ્વેતાંતર જૈન દેરાસરની મુલાકાત લઈ પૂજા અર્ચના કરી હતી.
On the sacred occasion of Akshaya Tritiya, Gautam Adani was fortunate to offer prayers at the Shri Ajitnath Bhagwan Shwetambar Jain Temple. The eternal values of Jainism, such as non-violence, compassion, self-discipline, and simplicity, inspire us to lead purposeful, humble, and responsible lives.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા હેલિપેડ પર સવારે ૭ઃ૪પ વાગ્યે પહોંચેલા અદાણી દંપતીનું જૈન સમાજના સભ્યોએ સ્વાગત કર્યા બાદ તેઓ તારંગાની ટેકરી પર ગયા હતા. જૈન સંપ્રદાયની પરંપરાઓમાં આ દિવસને ખાસ પવિત્ર માનવામાં આવતો હોવાથી શ્રદ્ધાળુઓ વહેલી સવારથી અહીં એકત્ર થાય છે અને અજીતનાથ ભગવાન શ્વેતાંબરના શ્રદ્ધાભાવાથી દર્શન કરે છે.
ગૌતમ અદાણીએ આ ઐતિહાસિક સ્થળે આવેલા મંદિર સંકુલમાં સમય વિતાવવા પૂર્વે ગર્ભગૃહની અંદર જઈ ભગવાન અજિતનાથની મૂર્તિ સમક્ષ પૂરા શ્રદ્ધાભાવથી પ્રાર્થના કરી હતી.
દંપતીએ અહીં ચાલતી કેન્ટીનની પણ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન અદાણીએ મંદિરના ટ્રસ્ટી સચિન અશોકભાઈ શાહને મળીને મંદિરની બેનમૂન સ્થાપત્ય કલા અને આધ્યાÂત્મક અખંડિતતાને જાળવી રાખવા સમેત યાત્રાળુઓ માટે સુવિધાઓમાં સુધારા વધારા કરવાના હેતુસરની વિવિધ યોજનાઓ વિશે પરામર્શ કર્યો હતો.
અદાણી પરિવારે મહિનાની શરૂઆતમાં હનુમાન જયંતિ પ્રસંગે ભારતના સૌથી અગ્રણી આસ્થાના પ્રતિક અને હિન્દુ મંદિરોમાંના એક અયોધ્યાના રામ મંદિરની મુલાકાત લઈ પૂજા-અર્ચના કરી વિશ્વ શાંતિ સકલ જગતના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

