સ્થળાંતર કરતા પરિવારો અને તેમના બાળકોને શિક્ષણની મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો અને જેઓ શાળાકીય શિક્ષણથી વંચિત રહી જાય છે તે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય
અમદાવાદ, 28 એપ્રિલ 2026: અમદાવાદના મોરૈયા ઔદ્યોગિક વિસ્તારમાં સ્થળાંતરિત શ્રમિકોના બાળકો માટે એક નવા ‘અર્લી ચાઈલ્ડહુડ ડેવલપમેન્ટ કેર એન્ડ એજ્યુકેશન’ (ECDCE) કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય કામની શોધમાં સતત સ્થળાંતર કરતા પરિવારો અને તેમના બાળકોને શિક્ષણની મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો છે, જેઓ ઘણીવાર શાળાકીય શિક્ષણથી વંચિત રહી જાય છે.
મોરૈયા ગામના કેસર સિટી ખાતે શરૂ કરાયેલું આ કેન્દ્ર 3 થી 6 વર્ષની વયના બાળકો માટે શિક્ષણ, પોષણ અને સંભાળ માટે એક વ્યવસ્થિત માળખું પૂરું પાડે છે. આ કેન્દ્રની વિશેષતાઓ નીચે મુજબ છે:

આ પહેલ દાઉદી વ્હોરા સમાજની વૈશ્વિક પરોપકારી પહેલ ‘પ્રોજેક્ટ રાઇઝ’ (Project Rise) અને દિલ્હી સ્થિત બિન-લાભકારી સંસ્થા ‘દીપાલય’ (Deepalaya) વચ્ચેના સહયોગનું પરિણામ છે. આ મોડેલ અગાઉ નવી દિલ્હીની સંજય કોલોનીમાં સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યું છે, જે હવે ગુજરાતના ઔદ્યોગિક કામદારોના બાળકો માટે અપનાવવામાં આવ્યું છે.
આ નવા કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે વડોદરા મ્યુ. કોર્પોરેશનના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ પ્રિન્સીપલ કમિશ્નર અને ICDSના ભૂતપૂર્વ પ્રોગ્રામ ઓફિસર યામિની પંડયા ઉપસ્થિત રહ્યા હતા.
ઉદઘાટન પ્રસંગે દીપાલયના ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. કે. સી. જ્યોર્જે જણાવ્યું હતું કે, “બાળપણના શરૂઆતના વર્ષો નક્કી કરે છે કે બાળક શિક્ષણના પથ પર ટકી રહેશે કે પાછળ રહી જશે. આ કેન્દ્ર બાળકોને માત્ર શિક્ષણ જ નહીં, પણ સ્થિરતા પણ પ્રદાન કરે છે”.
અમદાવાદના દાઉદી વ્હોરા સમાજના સભ્ય ફખરુદ્દીન જડલીવાલાએ ઉમેર્યું હતું કે, “સ્થળાંતરિત શ્રમિક પરિવારોની મોટી સંખ્યાને કારણે મોરૈયાને અગ્રતાના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. મોરૈયાના પરિણામોના આધારે, અન્ય એવા વિસ્તારોમાં પણ આવા કેન્દ્રો શરૂ કરવાનું વિચારવામાં આવશે જ્યાં પ્રારંભિક બાળપણના શિક્ષણની પહોંચ મર્યાદિત છે”.
આ કેન્દ્ર ભારત સરકારના ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ (ICDS) કાર્યક્રમ હેઠળ સ્થાનિક આંગણવાડી સેવાઓની સાથે મળીને કામ કરશે અને હાલના જાહેર માળખાને પૂરક બનશે. આ ઉપરાંત, આ પહેલ ‘બેટી બચાવો બેટી પઢાવો’ કાર્યક્રમ હેઠળ કન્યાઓ માટે શિક્ષણની પહોંચ વધારવાના પ્રયાસોને પણ સમર્થન આપે છે.
આ કેન્દ્રના સંચાલનમાં અમદાવાદના દાઉદી વ્હોરા સમાજના સભ્યો, શિક્ષકો, તબીબી વ્યાવસાયિકો અને સ્વયંસેવકો સક્રિયપણે જોડાઈને શિક્ષણ પ્રવૃત્તિઓ અને સ્વાસ્થ્ય જાગૃતિમાં યોગદાન આપશે.


