ગુજરાતમાં ખાડાઓની ભરમાર વચ્ચે ખાડામાં પડી જવાથી બે વર્ષમાં ૯૧ લોકોનાં મોત થયા -ખખડધજ રસ્તાઓ વાહનચાલકો માટે જીવલેણ બની રહયા છે
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ખાડાઓની ભરમાર વચ્ચે ખાડામાં પડી જવાથી વર્ષ ર૦ર૪માં ૩૧ લોકોનાં અકસ્માતે મોત થયા છે. જે પૈકી રપ પુરુષ અને ૬ મહિલાઓના સમાવેશ થાય છે. વર્ષ ર૦ર૩માં ૬૦ લોકોના ખાડામાં પડી જવાથી મોત થયા હતા. આમ બે વર્ષમાં ખાડાઓએ ૯૧ લોકોના જીવ લીધો છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રીપોર્ટમાં આ બાબતનો ખુલાસો થયો છે. બીજી તરફ બસ ટ્રક સહીતના વાહનો પરથી પડી જવાના કારણે ગુજરાતમાંચ વર્ષ ર૦ર૪ના એક વર્ષોમાં ૩૭૬ લોકોનાં મોત થયા છે. જેમાં ૩રપ પુરુષ અને પ૧ મહીલા સામેલ છે.
એનસીઆરબીના રીપોર્ટમાં ખુલાસો થયો છેકે, દેશમાં ખાડામાં પડી જવાની આકસ્મીક ઘટનામાં ૬૧૮ લોકોનાં મોત થયાં છે. જયારે ૧૦ જેટલા લોકો ઘાયલ થયા હતા.
એનસીઆરબીના આંકડાથી અલગ કેન્દ્રીય પરીવહન મંત્રાલયે થોડાક સમય પહેલા એવો દાવો કર્યો હતો કે, ગુજરાતમાં રસ્તાઓ પરના ખાડાના કારણે ત્રણ વર્ષમાં અકસ્માતની ર૪ ઘટનાઓ બની હતી. જેમાં ૧૭ લોકોને જીવ ગુમાવવા પડયા હતા. પરના ખાડાના કારણે ૧૬ લોકોને ગંભીર ઈજા જયારે ૭ લોકોને મામલુ ઈજા પહોચી હતી.
એવો પણ દાવો કરાયો હતો. કે, વર્ષ ર૦રરઅને ર૦ર૩માં ખાડાને કારણે કોઈ અકસ્માત કે મોત અથવા તો ઈજાના કેસ બન્યા નથી. મહત્વનું છેકે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખખડધજ રસ્તાઓને લઈ મુસાફરીનો ભારે હાલાકીનો સામનો કરવોપડી રહયો છે. અમદાવાદ શહેરમાં આજે પણ રસ્તાઓ પર ઠેરઠેર ખાડા જોવા મળી રહયા છે.
એક સમયે તો રાજય બહારથી મુસાફરી કરતા લોકો પાકા રસ્તા આવે એટલે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે એવું માની લેતાં હતા.પરંતુ આજે સ્થિતી એવી છેકે, ખાડા વાળા રસ્તા શરૂ થાય એટલે ગુજરાતમાં એન્ટ્રી થઈ હોવાનું કહેવાય છે.

