– ઇઝરાયલી મંત્રે કહ્યું હતું, આખું લેબનોન બાળી દે, તેહરાન, એજન્સી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઈઝરાયેલ પર કાયમી યુદ્ધની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. તેમનું નિવેદન ઈઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઈટામર બેન-ગવીરની ટિપ્પણી બાદ આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે સમગ્ર લેબેનોનને બાળી નાખવું જોઈએ. દક્ષિણ લેબનોનમાં ચાર ઇઝરાયેલ સૈનિકોના મોત બાદ આ ટિપ્પણી કરવામાં આવી હતી. ઈઝરાયેલે આ મોત માટે હિઝબુલ્લાહને જવાબદાર ઠેરવ્યું છે. અરાઘચીએ X પર લખ્યું કે આ કોઈ સામાન્ય વ્યક્તિની ટિપ્પણી નથી, પરંતુ ઇઝરાયેલી શાસનના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રીની જાહેર પોસ્ટ છે.
આ પણ વાંચોઃ ઈઝરાયેલ કાયમી યુદ્ધ ઈચ્છે છેઃ અરાઘચી
તેમણે વધુમાં કહ્યું હતું કે તેલ અવીવમાં બેઠેલું નેતૃત્વ સમગ્ર માનવતા માટે ખતરો બની ગયું છે અને તેનું એકમાત્ર હિત કાયમી યુદ્ધ જાળવી રાખવાનું છે.

