તિબેટમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 માપવામાં આવી છે. અહેવાલોમાં નેપાળમાં આવેલા ભારે પૂર માટે ભૂકંપને જવાબદાર ગણવામાં આવ્યો હતો. નેપાળમાં આવેલા પૂરને કારણે અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 2000થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (જીએફઝેડ) અનુસાર, ગુરુવારે આવેલા ભૂકંપનું કેન્દ્ર આ વિસ્તારમાં જમીનથી 10 કિલોમીટર ઊંડે હતું, જે છેલ્લા એક સપ્તાહથી ભૂકંપ અને પછી વિનાશકારી પૂરની અસરોથી પીડાઈ રહ્યું છે. હાલમાં આ ભૂકંપ બાદ કોઈ નુકસાનની માહિતી મળી નથી.
તિબેટ અને નેપાળ હજુ પણ અગાઉના પૂરની અસરો સામે ઝઝૂમી રહ્યા છે.
ગયા અઠવાડિયે પૂર અને ભૂકંપના કારણે તિબેટ-નેપાળ સરહદ પર તબાહી સર્જાઈ છે. સરહદની બંને બાજુએ કેટલાય લોકો માર્યા ગયા છે. બંને વિસ્તારોમાં સતત બચાવ કામગીરી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 1268 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 2000થી વધુ લોકો હજુ પણ લાપતા છે. ઘણા અહેવાલોમાં આ આંકડો 4,200 થી ઉપર પહોંચી ગયો છે.
નેપાળ અને તિબેટમાં બચાવ કામગીરી ચાલી રહી છે
નેપાળ અને તિબેટ બંનેમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જો કે, ચીન દ્વારા લાદવામાં આવેલા આ ઘટનાના મીડિયા કવરેજ પર પ્રતિબંધને કારણે ત્યાંથી આવતી માહિતી મર્યાદિત થઈ ગઈ છે. આ પછી પણ બચાવ કામગીરીના અહેવાલો સામે આવી રહ્યા છે. આ ભૂકંપ બાદ નાશ પામેલ નેપાળ-તિબેટ બોર્ડરનું ગીરોંગ બોર્ડર ક્રોસિંગ ફરી ખોલવામાં આવ્યું છે. આનાથી પૂર પ્રભાવિત વિસ્તારોમાં ભારે મશીનરીનું પરિવહન કરવાનું પણ સરળ બની રહ્યું છે.
અહેવાલો અનુસાર, રાહત અને બચાવ કામગીરીમાં સતત પ્રગતિના કારણે સમયસર કેટલાય લોકોના જીવ બચી શક્યા છે. જો કે હજુ પણ 2000 થી વધુ લોકો ગુમ છે. આમાંથી મોટા ભાગના નેપાળ તરફ છે. આ પૂરની સૌથી વધુ અસર નેપાળમાં જ જોવા મળી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે નીચાણવાળા વિસ્તારોમાં મોટા પાયે કાટમાળ જમા થયો છે. તેને સાફ કરવામાં કેટલાક મહિનાઓ લાગશે. ભારત, ચીન અને નેપાળ સહિત અન્ય દેશોના નિષ્ણાતો સતત રાહત અને બચાવ કાર્ય ચલાવી રહ્યા છે.

