હવે સવાલ એ છે કે રિઝવાનને કેપ્ટનશીપથી કેમ દૂર કરવામાં આવ્યો? આ મામલે ખુદ મોહમ્મદ રિઝવાન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. ઇએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, રિઝવાનને હટાવવા માટે મીટિંગમાં સફેદ બોલના કોચ માઇક હેસન ચોક્કસપણે હાજર હતા. પરંતુ આ સંપૂર્ણપણે તેમની વિનંતી પર બન્યું ન હતું. તેના બદલે, આ નિર્ણયને પીસીબીના વરિષ્ઠ અધિકારીઓનું સમર્થન હતું.
સફેદ બોલના કેપ્ટન તરીકે શાહીન આફ્રિદીનો આ બીજો કાર્યકાળ હશે. આ પહેલા તેણે પાકિસ્તાનની T20 ટીમની કમાન સંભાળી હતી. જો કે, ટી20 કેપ્ટન તરીકેનો તેમનો સમય પાકિસ્તાન ક્રિકેટમાં સારો ન ગયો. તેની કપ્તાનીમાં ટીમને ન્યુઝીલેન્ડમાં 5 મેચની ટી20 શ્રેણી 1-4થી ગુમાવવી પડી હતી. આવી સ્થિતિમાં તે ODI કેપ્ટનશિપમાં કેટલો સફળ થશે તે કહેવું મુશ્કેલ છે.
જો આપણે ODI કેપ્ટન તરીકે મોહમ્મદ રિઝવાનના કાર્યકાળ પર નજર કરીએ, તો તેણે 20 મેચોમાં પાકિસ્તાનની કેપ્ટનશિપ કરી, જેમાંથી તેણે 9માં જીત અને 11માં હારનો સામનો કરવો પડ્યો. તેની કપ્તાની હેઠળ તેણે 41.67ની એવરેજથી બેટ વડે 625 રન પણ બનાવ્યા. તેની કેપ્ટનશિપમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં પણ શ્રેણી જીતી હતી.

