નવી દિલ્હીઃ દિવાળી પછી કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કેબિનેટ બેઠકમાં 8મા પગાર પંચની રચનાને ઔપચારિક મંજૂરી આપવામાં આવી હતી.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ નિર્ણયથી લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે. લાંબા સમયથી નવા પગાર પંચની જાહેરાતની રાહ જોઈ રહેલા સરકારી કર્મચારીઓ માટે આ એક મોટી રાહત અને ખુશીના સમાચાર છે.
કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા 8મા પગાર પંચમાં મુખ્ય હોદ્દા પરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે:
જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની સપ્ટેમ્બર 2011માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને ઑક્ટોબર 2014માં તેઓ નિવૃત્ત થયા હતા. આ પહેલા તેઓ બૉમ્બે હાઈ કોર્ટમાં જજ રહી ચૂક્યા છે. ન્યાયતંત્ર અને વહીવટી ક્ષેત્રનો લાંબો અનુભવ ધરાવતા દેસાઈ જમ્મુ અને કાશ્મીર સીમાંકન આયોગના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI)ના વડા પણ રહી ચૂક્યા છે. તેમણે ઉત્તરાખંડ અને ગુજરાતની સરકારો માટે સમાન નાગરિક સંહિતા (UCC) પર રચાયેલી સમિતિઓનું પણ નેતૃત્વ કર્યું છે.
સરકારે 8મા પગાર પંચને તેનો રિપોર્ટ આપવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. પંચની ભલામણો પર વિચાર કર્યા બાદ કેન્દ્ર સરકાર અંતિમ મંજૂરી આપશે. એવું માનવામાં આવે છે કે નવા પગાર ધોરણો 1 જાન્યુઆરી, 2026 થી લાગુ કરવામાં આવશે.

