નૌગામ પોલીસ સ્ટેશન બ્લાસ્ટ કેસમાં મૃત્યુઆંક 12 પર પહોંચી ગયો છે. થોડા સમય પહેલા ડીજીપી નલિન પ્રભાતે 9ના મોતની પુષ્ટિ કરી હતી. જો કે, તેમણે કહ્યું હતું કે ઘણા અધિકારીઓ અને નાગરિકો પણ ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેણે એમ પણ કહ્યું હતું કે વિસ્ફોટ એટલો ભયંકર હતો કે પોલીસ સ્ટેશનને ખૂબ નુકસાન થયું હતું. આ ઉપરાંત આસપાસની ઈમારતોને પણ નુકસાન થયું છે.

