ગુજરાતમાં આઈસીઆઈસીઆઈ બેંકની 580થી વધુ બ્રાન્ચ અને 790થી વધુ એટીએમ તથા કેશ રિસાયક્લિંગ મશીનો (સીઆરએમ)છે.
બ્રાન્ચમાં સાતેય દિવસ,ચોવીસે કલાક એટીએમ સેવા ઉપલબ્ધ છે
ભરૂચ –આઈસીઆઈસીઆઈ બેંકે કસાક ખાતે નવી બ્રાન્ચનો પ્રારંભ કર્યો છે જે ભરૂચમાં ઝડેશ્વર રોડ પર નેક્સસ બિઝનેસ સેન્ટર ખાતે આવેલી છે. આ બેંકની શહેરમાં પાંચમી બ્રાન્ચ છે અને તે એટીએમ સુવિધા ધરાવે છે.
ટ્રસ્ટીન ટેપના મેનેજિંગ ડિરેક્ટર ડો. સુસેનજીત સિંહ મહાપાત્રા,સર્વનમનવિદ્યા મંદિરના ટ્રસ્ટી શ્રીખાંદુપટેલ અને એસએલડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી બી.આર. પટેલે આ બ્રાન્ચનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ બ્રાન્ચ વિવિધ પ્રકારના એકાઉન્ટ્સ અને ડિપોઝીટ્સ ઓફર કરે છે,જેમાં સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ્સ,ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ,ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝીટ્સ અને ગોલ્ડ લોન,હોમ લોન,પ્રોપર્ટી સામે લોન,પર્સનલ લોન,ઓટો લોન,બિઝનેસ લોન,એજ્યુકેશન લોન,કિસાન સમૃદ્ધિ ઓવરડ્રાફ્ટ અને ફોરેક્સ સર્વિસીઝ તેમજ કાર્ડ સર્વિસીઝનો સમાવેશ થાય છે.
બ્રાન્ચે વ્યક્તિગત રીતે સહાય પૂરી પાડવા માટે બે સમર્પિત ડેસ્ક પણ ઊભા કર્યા છે જેમાં એક ડેસ્ક વરિષ્ઠ નાગરિકો માટે અને એક ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓ માટે છે. તેમાં વ્હીલચેરની સુલભતા માટે રેમ્પ પણ છે. વધારાની સુવિધા માટે પરિસરમાં લોકર રૂમની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. તે સોમવારથી શુક્રવાર અને મહિનાના પહેલા,ત્રીજા અને પાંચમા શનિવારે સવારે 9:30 થી બપોરે 3:00 વાગ્યા સુધી સેવાઓ આપે છે.
આ બ્રાન્ચ ટેબ બેંકિંગ સુવિધા પણ પ્રદાન કરે છે જે કર્મચારી દ્વારા ટેબ્લેટ ડિવાઇસ દ્વારા ગ્રાહકના સ્થાને લગભગ 100 સર્વિસીઝ પૂરી પાડે છે. આ સર્વિસીઝમાં એકાઉન્ટ્સ ખોલાવવા અને ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)ખોલાવવા,ચેક બુક માટેની રિક્વેસ્ટ કરવા, ઇ-સ્ટેટમેન્ટ જનરેટ કરવા અને સરનામાંમાં ફેરફાર કરવાનો સમાવેશ થાય છે.
આઈસીઆઈસીઆઈ બેંક તેના વિશાળ સંખ્યામાં રહેલા ગ્રાહકોને બ્રાન્ચ,એટીએમ,કોલ સેન્ટર્સ,ઇન્ટરનેટ બેંકિંગ (www.icici.bank.in)અને મોબાઇલ બેંકિંગના મલ્ટી-ચેનલ ડિલિવરી નેટવર્ક દ્વારા સેવાઓ આપે છે.

