ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના સુકાની એઇડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ એક ફેરફાર સાથે પાંચમી મેચમાં ઉતરી છે. જસપ્રીત બુમરાહને હર્ષિત રાણાના સ્થાને ભારતીય ટીમમાં, કુલદીપ યાદવના સ્થાને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે શુભમન ગિલ ઈજાના કારણે બહાર છે. તેની જગ્યાએ સંજુ સેમસન રમશે.
વાઈસ-કેપ્ટન શુભમન ગિલ અંગૂઠામાં ઈજાના કારણે શ્રેણીની છેલ્લી મેચમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને સંજુ સેમસનને ઓપનર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. સિરીઝની ચોથી મેચ (લખનૌ) ગાઢ ધુમ્મસને કારણે એકપણ બોલ ફેંકાયા વિના રદ્દ કરવામાં આવી હતી. તે મેચમાં પણ સેમસન રમવાની દરેક શક્યતા હતી, પરંતુ રમત થઈ શકી નહીં.
ભારત સામેની પાંચમી અને અંતિમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત શ્રેણીમાં 2-1થી આગળ છે જ્યારે લખનૌમાં ચોથી મેચ ખરાબ હવામાનને કારણે રદ્દ કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમમાં એનરિક નોર્કિયાના સ્થાને જ્યોર્જ લિન્ડેને તક આપવામાં આવી છે.
સાઉથ આફ્રિકન ટીમના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ બાદ માર્કરામે કહ્યું કે વિકેટ બેટિંગ માટે સારી લાગી હતી, જોકે ઝાકળની શક્યતાને કારણે તેણે પાછળથી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. માર્કરામે કહ્યું કે તેમની ટીમ આ પ્રવાસને સારી રીતે સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે.
ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે તે પહેલા બેટિંગ કરવા માંગે છે અને તેની સાથે તેણે એમ પણ કહ્યું કે બાદમાં ઝાકળ પડવાની કોઈ શક્યતા નથી. સૂર્યકુમારે કહ્યું કે શ્રેણી જીત્યા બાદ તેની ટીમ નિર્ભય ક્રિકેટ રમવા પર વધુ ધ્યાન આપશે. શુભમન ગિલ ઈજાના કારણે બહાર છે. બુમરાહ, સંજુ સેમસન અને વોશિંગ્ટન સુંદર રમી રહ્યા છે. ગિલ ઉપરાંત હર્ષિત રાણા અને કુલદીપ યાદવ બહાર છે.

