Acharya Devvrat Govt Bus Ride: ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (૬૬) નો ફરી એકવાર ‘કોમન મેન’ અવતાર સામે આવ્યો છે. સી.પી. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ બનતા જ્યારે તેમને મહારાષ્ટ્રનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો, ત્યારે પણ તેઓ ટ્રેન દ્વારા મુંબઈ ગયા હતા. તેમણે ત્યાં જઈને કાર્યભાર ગ્રહણ કર્યો હતો. ગુજરાતમાં સાચા અર્થમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘લોકભવન’ ની કલ્પનાને સાર્થક કરી રહેલા દેવવ્રત બુધવારે ગાંધીનગરના સોલૈયા ગામે રાજ્ય સરકારની સરકારી બસમાં ગયા હતા. આ દરમિયાન તેમણે સામાન્ય મુસાફરોની જેમ જ કંડક્ટર પાસેથી ટિકિટ પણ લીધી હતી. જ્યારે તેમણે રાજ્યપાલ હોવા છતાં મહિલા કંડક્ટર પાસેથી ટિકિટ માંગી ત્યારે સૌ દંગ રહી ગયા હતા.
બસ સર્વિસનો લીધો ફીડબેક
આચાર્ય દેવવ્રતે બસની મુસાફરી દરમિયાન યુવાનો અને અન્ય લોકો સાથે વાતચીત પણ કરી હતી. આ દરમિયાન તેમણે એસટી (ST) બસના મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓ, સફાઈ, સમયપાલન અને સેવાઓ વિશે માહિતી મેળવી હતી. તેમણે મુસાફરી બાદ જણાવ્યું હતું કે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ સર્વિસ રાજ્યના લાખો લોકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનું એક સરળ માધ્યમ છે. તે ગુજરાતની સર્વાંગી વિકાસયાત્રાનો એક મહત્વનો હિસ્સો છે. આચાર્ય દેવવ્રત લાંબા સમયથી ગુજરાતના રાજ્યપાલ તરીકે કાર્યરત છે. તેઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાઠ શીખવવાની સાથે પોતાની જૂની જીવનશૈલીને જાળવી રાખી છે. તેઓ રાજ્યની સરકારી શાળાઓમાં રાત્રિ રોકાણ પણ કરે છે.
ग्राम कल्याण कार्यक्रम में सहभागिता हेतु आज गांधीनगर से माणसा तहसील के सोलैया तक गुजरात राज्य मार्ग परिवहन निगम (एस.टी.) की बस से यात्रा की।
यात्रा के दौरान एस.टी. बस की स्वच्छता, समयपालन और यात्रियों को उपलब्ध सुविधाओं का अनुभव किया तथा सहयात्रियों से आत्मीय संवाद भी हुआ।… pic.twitter.com/zrhPHBpd9K
— Acharya Devvrat (@ADevvrat) January 7, 2026
X (ટ્વિટર) પર શેર કર્યો વીડિયો
રાજ્યપાલે પોતાની એસટી બસની મુસાફરી દરમિયાન તમામ વયજૂથના લોકો સાથે વાતચીત કરી હતી. રાજ્યપાલની આ સફર ઘણા મુસાફરો માટે જીવનભરનું યાદગાર સંભારણું બની ગઈ હતી. તેમણે બસની મહિલા કંડક્ટરને પોતાની પાસે બેસાડીને વાત કરી હતી. માણસા તાલુકાના સોલૈયા ગામે તેમણે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે વૃક્ષારોપણ માત્ર પર્યાવરણ સંરક્ષણ નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે સ્વસ્થ, સુરક્ષિત અને સંતુલિત ભવિષ્ય પ્રત્યેની આપણી સામૂહિક જવાબદારી છે. સ્વચ્છતા અને હરિયાળા વાતાવરણ સાથે જોડાયેલો આ પ્રયાસ જ સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ ભારતના નિર્માણની મજબૂત આધારશિલા છે.

