અમદાવાદ, કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી નશીલા પદાર્થાે સાથે ઝડપાયેલા દરિયાપુરના શખ્સને અમદાવાદની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ૧૨ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
ખાસ જજ વી. બી. રાજપૂતે આ ચુકાદો આપતા નોંધ્યું હતું કે, નશીલા પદાર્થાેની હેરાફેરીના કારણે કિશોરો અને વિદ્યાર્થીઓમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે, જેની સમાજ પર ઘાતક અસર પડે છે. આવા કિસ્સામાં આરોપીના વ્યક્તિગત હિત કરતા જાહેર હિત અને સમાજ પરની અસરને ધ્યાને લેવી અનિવાર્ય છે.
ડ્રગ્સની બદી સમાજ અને યુવાધનને બરબાદ કરી રહી છે, ત્યારે આવા કિસ્સામાં રહેમ રાખ્યા વગર દાખલો બેસે તેવી સજા કરવી ન્યાયના હિતમાં છે. આ ઉપરાંત આરોપીને બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યાે પણ ફટકાર્યાે છે.ઘટનાની વિગતો મુજબ, ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ એનસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પર વોચ ગોઠવવામાં આવી હતી.
મુંબઈથી આવતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ દરમિયાન દરિયાપુરના મોહંમદ ઈરફાન ઉસમાનગની સૈયદની અટકાયત કરવામાં આવી હતી. તેની તલાશી લેતા તેની પાસેથી તેની પાસેથી ૧૫૫ ગ્રામ મેફેડ્રોન તથા ૪૩ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. એનસીબીએ ગુનો નોંધી, પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
કેસની સુનાવણી દરમિયાન એડવોકેટે ધારદાર દલીલો કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ ચાર મહત્ત્વના સાક્ષીઓ અને પંચનામા સહિત ૩૦ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. નશીલા પદાર્થાેના વધતા વ્યવસાયને કારણે આજની પેઢી ગેરમાર્ગે દોરાઈ રહી છે, જે રાષ્ટ્ર માટે ગંભીર ચિંતાનો વિષય છે.SS1MS

