સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત જીત સાથે કરી હતી, પરંતુ ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવા અને બીમાર પડવાની પ્રક્રિયા ચાલુ જ છે. જસપ્રીત બુમરાહ બીમારીના કારણે USA વિરૂદ્ધ T20 વર્લ્ડ કપની પ્રથમ મેચ રમી શક્યો ન હતો, જ્યારે હવે એવા સમાચાર છે કે ટીમ ઈન્ડિયાનો વધુ એક ખેલાડી બીમાર પડ્યો છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ટીમ ઈન્ડિયાનો મજબૂત ઓપનર અભિષેક શર્મા છે. અભિષેક શર્મા યુએસએ સામે ગોલ્ડન ડક પર આઉટ થયો હતો, ત્યારબાદ તે મેદાન પર જોવા મળ્યો ન હતો. અભિષેક શર્માએ એક પણ ઓવર ફિલ્ડ કરી ન હતી અને મેચ બાદ યુએસએના ખેલાડીઓ સાથે હાથ મિલાવવા પણ બહાર ન આવ્યો.
કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે અભિષેક શર્માને લઈને મોટું અપડેટ આપ્યું છે. સાથે જ સૂર્યાએ વોશિંગ્ટન સુંદર વિશે એક સારા સમાચાર આપ્યા છે.
સૂર્યકુમાર યાવદે મેચ બાદ કહ્યું, “હવામાનને કારણે બુમરાહને ખૂબ તાવ હતો, અભિષેક પણ બીમાર છે.”
જો કે, મોહમ્મદ સિરાજે કહ્યું કે અભિષેકને પેટમાં તકલીફ છે, પરંતુ તેણે નામીબિયા સામેની આગામી મેચમાં તેની વાપસીની ખાતરી આપી.

