તેહરાન, એજન્સી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ચેતવણી આપી છે કે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત કોઈપણ આક્રમણનો શક્તિશાળી અને નિર્ણાયક જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે આવા હુમલામાં કોઈપણ પ્રકારની સહાયતા પૂરી પાડનાર પક્ષોને પણ કાયદેસરના લક્ષ્ય તરીકે ગણવામાં આવશે. અરાઘચીએ X પર લખ્યું કે આપણો સંરક્ષણ સિદ્ધાંત સ્પષ્ટ છે, આંખના બદલે આંખ. ઈરાન સામેની કોઈપણ આક્રમકતાને શક્તિશાળી અને નિર્ણાયક જવાબ આપવામાં આવશે, જેમાં આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાનો સમાવેશ થાય છે. આ આક્રમણમાં સહકાર આપનારાઓ પણ કાયદેસરના નિશાન હશે. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર ગાલીબાફે પણ આવું જ વલણ અપનાવતા કહ્યું કે જો ઈરાનની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો આ ક્ષેત્રમાં કોઈપણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુરક્ષિત રહેશે નહીં.
તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે હોર્મુઝની પરિસ્થિતિ હવે યુદ્ધ પહેલા જેવી રહેશે નહીં.

