અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંને એકબીજા પર હુમલો કરી રહ્યા છે અને આ તણાવ જલ્દી ખતમ થાય તેમ લાગતું નથી. શુક્રવારે ઈરાનના દરિયામાં એલપીજી ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 28 ભારતીય ક્રૂ મેમ્બર હતા. જોકે, રાહતની વાત એ છે કે ઈરાનમાં ભારતીય દૂતાવાસે પુષ્ટિ કરી છે કે તમામ ભારતીય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે અને તેઓ સંબંધિત અધિકારીઓના નજીકના સંપર્કમાં છે.

