Author: gujarat

રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૭૨ ટકાથી વધુØગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં ૭૪ ટકાથી વધુ પાણીનો સંગ્રહØરાજ્યમાં સૌથી વધુ ૨.૩૪ લાખMCFTપાણીનો જથ્થો દક્ષિણ ગુજરાતના જળાશયોમાંØગત વર્ષે માર્ચ ૨૦૨૫ કરતા આ વખતે રાજ્યમાં ૪.૧૫ ટકા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાવાર્ત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયો એટલે કે ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને જળ સંપત્તિ – પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં પાણી સંચય અંગેના સુચારૂ વ્યવસ્થાપન થકી રાજ્યમાં દિન-પ્રતિદિન પીવાના અને સિંચાઈ માટેના પાણીની ઉપલબ્ધતા વધી રહી છે.રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ ૧૨૮…

Read More

પોક્સોના ગુનાઓમાં આણંદ પોલીસની દાખલારૂપ કામગીરી: વધુ બે કેસના ગુનેગારોને આજીવન કેદની સજાતમામ ૭ કેસોમાં ગુનો નોંધાયાના મહત્તમ ૪૫ દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી: મહત્તમ કેસમાં માત્ર ૮ થી ૯ મહિનાના ટૂંકા ગાળામાં ચુકાદાઓ આવ્યાગુજરાત પોલીસની આ સજ્જતા અને સંવેદનશીલતા રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીઆણંદ જિલ્લાના તપાસ અધિકારી તત્કાલિન સીપીઆઈ તથા તેમની ટીમ દ્વારા આ તમામ કેસની કરવામાં આવેલી બારીક પરિણામલક્ષી તપાસ બદલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદનગુજરાત સરકાર મહિલા સુરક્ષા અને સગીરા પર દુષ્કર્મના ગુનેગારો સામે‘ઝીરો ટોલરન્સ‘ની નીતિ સાથે મક્કમતાથી કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રી…

Read More

સુરતમાં નકલી પનીર બનાવતું કારખાનું ઝડપાયું, ૧૪૦૦ કિલો જથ્થો જપ્ત કરાયો -પોલીસ અને પાલિકાનું સંયુક્ત ઓપરેશન,સુરત, સુરત શહેર પોલીસ અને પાલિકાએ સંયુક્ત ઓપરેશનમાં નકલી પનીરનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. પાંડેસરા વિસ્તારની ભીડભંજન સોસાયટીમાં રહેતા એક કારખાનામાં દરોડા પાડી ૧૪૦૧ કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે સ્થળ પરથી મશીનરી અને કાચા માલ સહિત કુલ રૂ.ર૮.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમનું કહેવું હતું કે, પાંડેસરામાં આવેલા આ કારખાનામાં પામોલીન તેલનો ઉપયોગ કરી નકલી પનીર બનાવવામાં આવતું હતું. દરોડા દરમિયાન સ્થળ પરથી પનીર બનાવવા માટેના આધુનિક સાધનો જેવા કે…

Read More

કડીના લક્ષ્મીપુરાની કંપનીની કોલોનીમાં બે સિક્યોરિટી ગાર્ડે યુવકની હત્યા કરીમહેસાણા, કડી તાલુકાના લક્ષ્મીપુરા (નંદાસણ)ની ગુજરાત માઈક્રો કંપનીની કોલોનીમાં કંપનીના બે સિક્યોરિટી ગાર્ડે યુવકને ઢોર માર મારતાં તેનું મોત નીપજયું હતું. નંદાસણ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બિહારના જાહાનાબાદ તાલુકાના વતની સિદ્ધનાથ મોહન યાદવ તથા તેમના બે ભાઈઓ રામવિજયકુમાર (ઉ.વ.ર૩) અને અક્ષય કડી તાલુકાના લક્ષ્મીપુરા (નંદાસણ)ની ગુજરાત માઈક્રો કંપનીમાં નોકરી કરતા હોઈ કંપનીની કોલોનીમાં રહે છે. બુધવારે રામવિજયકુમારે મસાલો ખાધેલો હોવાથી કંપનીના ગેટ પરના ગાર્ડ અક્ષય પટેલે તેને નોકરી પર જવા દીધો નહોતો.સાંજે રામવિજયકુમાર તથા તેમની સાથેના બલરામકુમાર યાદવ બંને કોલોની બહાર શીમલા હોટલે ઉભા હતા ત્યારે આ…

Read More

(એજન્સી)સુરેન્દ્રનગર, કરોડો રૂપિયાના સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં ઈડીએ ૧૮૨ પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા અનેક મોટા ખુલાસા થયા છે. જેમાં ઈડીએ જમીન એનએ કરી આપવાના નામે સુનિયોજીત કૌભાંડ હોવાનું જણાવ્યુ છે. સાથે જ કટકીની રકમ કોને, કેટલા ભાગમાં વહેંચાતી હતી તેની પણ માહિતી ચાર્જશીટમાં રજૂ કરી છે.ઈડીએ સુરેન્દ્રનગર જમીન કૌભાડમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. ઈડીએ જમીન દ્ગછ કરી આપવાના નામે રૂપિયા પડાવવાનું સુનિયોજિત કૌભાંડ ગણાવ્યં છે. આ જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝા, મામલતદાર મયુર દવે, એનએ શાખાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને એનએ શાખાના કારકુન…

Read More

સાયબર ઠગાઈની તમામ મોડસ ઓપરેન્ડી શીખવાડવામાં આવી છે(એજન્સી)અમદાવાદ, દસેક વર્ષ અગાઉ વિદેશી નાગરીકોને ઠગવાના કોલ સેન્ટરનો રાફડો શહેરમાં વિપુલ પ્રમાણમાં ફાટી નીકળ્યો હતો. અંગ્રેજી ભાષા કડકડાટ બોલતા યુવાનોની આવા ગેરકાયદેસર કોલ સેન્ટરમાં બોલબાલા હોવાના લીધે મોટા પગાર આપીને નોકરીએ રાખવાથી આવતા હતા. ત્યારે હવે જમાનો બદલાયો છે.ત્યારે વિદેશી નાગરીકોને ઠગતા કોલ સેન્ટરની જેમ સાયબર ઠગાઈના કોલ સેન્ટરોને રાફડો ગુજરશાત બહાર ફાટી નીકળ્યો છે. અને સાયબર ઠગાઈના ચાલતા કોલ સેન્ટરમાં પર ફાંફડું અંગ્રેજી બોલતા યુવાનોની પ્રથમ પસંદગી કરવામાં આવે છે.મ્યાનમાર અને કંબોડીયા જેવા દેશોમાં સાયબર ઠગાઈના કોલ સેન્ટરો મોટા પ્રમાણમાં ચાલી રહયા છે. ત્યારે આવા સેન્ટરમાં દેશભરના યુવાનો જેઓ અંગ્રેજી કડકડાટ…

Read More

“૧૩ વર્ષથી હું ધારાસભ્ય છું, હવે બીજાને તક મળવી જોઈએ”(એજન્સી)વડોદરા, મધ્ય ગુજરાતમાં ભાજપના આખાબોલા નેતા તરીકેની છાપ ધરાવતા ધારાસભ્ય કેતન ઈનામદારે ફરી એકવાર જૂનો રાગ આલાપ્યો છે. તેઓએ ફરી એકવાર ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી છે. વર્ષ ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ પણ કેતન ઈનામદારે આ જ શબ્દો કહ્યા હતા, હવે જોવું એ રહ્યું કે, તેઓ પોતાના કહ્યા બોલ પાળે છે કે નહિ, અને કેતન ઈનામદારની વાતમાં કેટલી ઈમાનદારી છે.બરોડા ડેરી મુદ્દે સાવલીના કેતન ફાર્મ ખાતે કેતન ઈનામદારનો સમ્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ડેસર ઝોનના ઉમેદવાર સુરપાલસિંહ પરમાર અને સાવલી ઝોનના ઉમેદવાર રામસિંહ વાઘેલા હાજર રહ્યા…

Read More

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસરને લઈને ગુજરાત સરકાર એલર્ટ-ઈરાન યુદ્ધની અસરઃ હર્ષ સંઘવીએ રાજ્યમાં ગેસ સપ્લાય, સ્ટોક, આયાત, વિતરણ અંગે ચર્ચા કરી(એજન્સી)ગાંધીનગર, મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવની અસર વૈશ્વિક ઊર્જા બજાર પર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યમાં ગેસ પુરવઠાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી.વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ઊર્જા વિભાગના અધિકારીઓ અને સરકારી ગેસ કંપનીઓના પ્રતિનિધિઓ જોડાયા હતા.બેઠકમાં રાજ્યમાં એલએનજી અને એલપીજીના પુરવઠા, ઉપલબ્ધ સ્ટોક તેમજ ભવિષ્યમાં ઉભી થઈ શકે તેવી સંભાવિત સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ રાજ્યમાં હાલ ગેસ સપ્લાયની…

Read More

૨૬૦ તાલુકા ગુજરાતમાં પંચાયત, ૩૨ જિલ્લા પંચાયત, ૧૫ મનપા અને ૭૧ ન.પાલિકામાં ચૂંટણી યોજાઈ શકે છે ગાંધીનગર, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ હવે જોવા મળી રહ્યો છે. રાજ્યમાં લાંબા સમયથી બાકી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તૈયારીઓ તેજ બની છે. નવા અપડેટ આવ્યા છે કે, આગામી ૧ મે પછી ચૂંટણી યોજાઈ શકે છે, તેથી રાજકીય પક્ષોમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે.ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ત્રણેય રાજકીય પક્ષોએ પોતાના સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં ભર ઉનાળે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી જાય તેવા ભણકારા વાગી રહ્યાં છે. હવે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સંભવ ૧ મેના રોજ…

Read More

ઔડાનું ૨૦૨૬-૨૭નું રૂ.૩૧૦૧ કરોડનું બજેટ રજૂ(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે આજે(૬ માર્ચ) રૂ. ૩૧૦૧.૭૩ કરોડનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ઔડાના સીઈઓ દેવાંગ દેસાઇએ રજૂ કરેલા આ બજેટમાં શહેરના વિકાસ અને માળખાકીય સુવિધાઓ માટે મહત્ત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. આગામી વર્ષમાં સંસ્થાને રૂ.૩૧૧૯.૮૩ કરોડની આવક થવાનો અંદાજ છે.ઔડા પોતાની આવક વધારવા માટે હસ્તગત કરેલા ૫૦થી વધુ પ્લોટોનું વેચાણ કરશે, જેનાથી રૂ. ૧૩૦૦ કરોડ ઊભા કરવાનું આયોજન છે. આ ઉપરાંત, દુકાનોના વેચાણમાંથી રૂ. ૫ કરોડ અને એફોર્ડેબલ હાઉસિંગના હપ્તા પેટે રૂ. ૧૫.૩૬ કરોડની આવક ગણતા કુલ રૂ. ૧૩૨૦.૩૬ કરોડની આવક થવાની શક્યતા છે. જોકે,…

Read More