(એજન્સી)અંકલેશ્વર, પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે ગુજરાતના અર્થતંત્રના મહત્વના ગણાતા મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે.આંતરરાષ્ટ્રીય તણાવને કારણે પ્રોપેન ગેસનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જતાં સિરામિક એકમો માટે અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. ઈંધણના અભાવે આગામી ૨૪થી ૪૮ કલાકમાં મોટાભાગના કારખાનાઓ બંધ થઈ જવાની શક્યતા છે, જેના કારણે લાખો પરિવારોની આજીવિકા પર જોખમ તોળાઈ રહ્યું છે.તો અમેરિકા-ઈરાન યુદ્ધ ને લઇ હવે અંકલેશ્વર જિલ્લાના ઉદ્યોગો માં એલએનજી ગેસ ની અછત શરૂ થઇ છે. અમેરિકા-ઈરાન- ઈઝરાયલ યુદ્ધ થી એલએનજી સપ્લાય ઘટ્યો છે. ગુજરાત ગેસ દ્વારા ગેસ સપ્લાય કરાર હેઠળ “ફોર્સ મેજર” જાહેર કરીને ઉદ્યોગોને…
Author: gujarat
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટા વહીવટી ફેરફાર કરવામાં આવ્યાં છે. ૩૭ આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે. જેમાં અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે. આ ફેરબદલમાં રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જ આઈજી અને ગગનદીપ ગંભીરને એસએમસીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.તો સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ આઈજી બનાવાયા છે. સમશેરસિંગ સિવિલ ડિફેન્સના ડીજીની જવાબદારી સોંપવામાં આવી છે. એસએમસીના ડીઆઈજીપી તરીકે વિશાલ વાઘેલાની નિમણુક કરવામાં આવી છે. સુરતના જેસીપી તરીકે મહેન્દ્ર બગડિયાને જવાબદારી સોંપાઇ છે. બનાસકાંઠા રેંજ આઈજી તરીકે પરિક્ષિતા રાઠોડ, એસીબી જોઈન્ટ ડાયરેક્ટર તરીકે દીપક મેઘાણી, વડોદરાના જેસીપી તરીકે નિલેશ જાજડિયાની…
સુરત, રાજ્યની સરકારી હોસ્પિટલો-જિલ્લા હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામા આવે છે. જેમાં હાલ ૨૦૨૪-૨૫ના વર્ષ પ્રમાણે ૧૩૮૬ દવાઓ છે.આ યાદીની સરકારે સમીક્ષા કરીને ૧૫૦ નવી દવાઓનો ઉમેરો કર્યાે છે.જ્યારે બિનજરૂરી ૫૭ દવાઓ રદ કરવામા આવી છે. આગામી વર્ષ માટે હવે કુલ ૧૪૭૯ સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સહિતની દવા દર્દીને મળશે.રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લિસ્ટને રિવાઈઝ કરવામા આવી છે.જેમાં સમાવિષ્ટ પ્રત્યેક દવા અને સર્જિકલ આઈટમ રાજ્યના ગ્રામીણ અને શહેર વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં વિનામૂલ્યે આપવામા આવે છે.સરકારના હાલના એસેન્સિયલ ડ્રગ લિસ્ટમાં પ્રાથમિક કક્ષાની ૩૭૮ દવાઓ,સેકન્ડરી કક્ષાની ૬૨૮ દવાઓ અને ટર્સરી કક્ષાની…
અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં એવું ઠરાવ્યું છે કે કોઇ વ્યક્તિ અન્ય કોઇનું વાહન લઇને નીકળ્યો હોય અને અકસ્માત સર્જે તો તે થર્ડ પાર્ટી ગણી શકાય નહીં. તેને વળતર મેળવવાનો હક રહેતો નથી. આ રીતે હાઇકોર્ટે મોટર વાહન અધિનિયમ હેઠળની જોગવાઇઓ મુજબ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.હાઈકોર્ટે આ મામલે સ્પષ્ટતા કરી છે કે જે વ્યક્તિ તેના માલિક પાસેથી વાહન ઉધાર લે છે અને તેને ચલાવતી વખતે અકસ્માતનો ભોગ બને છે તે મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૧૬૩એ હેઠળ વળતર મેળવવા માટે હકદાર નથી. હાઇકોર્ટની બેન્ચે ઠરાવ્યું હતું કે આવા ઉધાર લેનાર કાનૂની જવાબદારીના હેતુઓ માટે તૃતીય પક્ષ એટલે કે…
હિંમતનગર, ઈડર તાલુકાના લાલોડા ગામે એક હડકાયા કૂતરાએ ભેંસને બચકું ભરતાં ભેંસનું બે દિવસ બાદ મોત નીપજ્યું હતું. જોકે આ ભેંસનું દૂધ પીધેલા ૨૦થી વધુ લોકોએ હડકાવા વિરોધી રસી લેવા માટે ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.ઇડર તાલુકાના લાલોડા ગામે સોમવારે એક હડકાયા કૂતરાએ ભેંસને બચકું ભર્યું હતું. હડકાયા કૂતરાના કરડ્યા બાદ ખેડૂતની ભેંસનુ બે દિવસ બાદ મોત નીપજ્યું હતું. ભેંસનું મોત નીપજ્યા બાદ લોકોમાં ભય જોવા મળ્યો હતો અને કૂતરુ કરડ્યા બાદ બે દિવસ સુધી ભેંસનું દૂધ પીનારા ૨૦થી વધુ લોકોમાં પણ ભય ફેલાયો હતો.ભેંસને બચકું ભર્યા બાદ તેનું મોત નીપજ્યાના સમાચાર ગામમાં ફરતા થતા લોકોમાં અનેક પ્રકારની…
સુરત, સુરત શહેર પોલીસ અને પાલિકાએ સંયુક્ત ઓપરેશનમાં નકલી પનીરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પાંડેસરા વિસ્તારની ભીડભંજન સોસાયટીમાં ચાલતા એક કારખાનામાં દરોડા પાડી ૧૪૦૧ કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસે સ્થળ પરથી મશીનરી અને કાચા માલ સહિત કુલ રૂ. ૨૮.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.શહેર પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્›પના ડીસીપી રાજદીપસિંહ નકુમનું કહેવું હતું કે, પાંડેસરામાં આવેલા આ કારખાનામાં પામોલીન તેલનો ઉપયોગ કરી નકલી પનીર (એનાલોગ પનીર) બનાવવામાં આવતું હતું.દરોડા દરમિયાન સ્થળ પરથી પનીર બનાવવા માટેના આધુનિક સાધનો જેવા કે પાસ્ચ્યુરાઈઝેશન મશીનરી, હોમોજીનાઇઝર મશીન, વેન્ચ્યુરી મશીન અને સ્ટોરેજ મળી આવ્યા હતા. જેની કિંમત આશરે…
ઉમરગામ, ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઈ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. ત્યારે ઉમરગામના મરોલી ગામના ૨૫ થી વધુ માછીમારો ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાતા મુશ્કેલીમાં મુકાયા છે.પરિવારજનો સાથે છેલ્લા પાંચ-છ દિવસથી સંપર્ક નહીં થતા ચિંતા મુકાયા છે. પરિવારે ઈરાન માછીમારી કરવા ગયેલા લોકોને હેમખેમ ભારત પરત લાવવા સરકારને સહયોગ કરવા અપીલ કરી છે.ફસાયેલા માછીમારોને હેમખેમ પરત લાવવા સરકારને અપીલ કરી છે. ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઈ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે.ત્યારે આ યુદ્ધની સીધી અસર વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામના અનેક પરિવારોને થઈ રહી છે કારણ કે…
મોરબી, પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે ગુજરાતના અર્થતંત્રના મહત્વના ગણાતા મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે.આંતરરાષ્ટ્રીય તણાવને કારણે પ્રોપેન ગેસનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જતાં સિરામિક એકમો માટે અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. ઈંધણના અભાવે આગામી ૨૪થી ૪૮ કલાકમાં મોટાભાગના કારખાનાઓ બંધ થઈ જવાની શક્યતા છે, જેના કારણે લાખો પરિવારોની આજીવિકા પર જોખમ તોળાઈ રહ્યું છે. તો અમેરિકા-ઈરાન યુદ્ધ ને લઇ હવે અંકલેશ્વર જિલ્લાના ઉદ્યોગો માં એલએનજી ગેસ ની અછત શરૂ થઇ છે. અમેરિકા-ઈરાન- ઈઝરાયલ યુદ્ધ થી એલએનજી સપ્લાય ઘટ્યો છે.ગુજરાત ગેસ દ્વારા ગેસ સપ્લાય કરાર હેઠળ “ફોર્સ મેજર” જાહેર કરીને ઉદ્યોગોને…
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય કોલ સેન્ટર, વોટ્સએપ ચેટબોટ, મોબાઈલ એપ, સોશિયલ મીડિયા અને વેબ પોર્ટલ જેવા ફરિયાદોના તમામ અલગ-અલગ માધ્યમોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવીને વ્યવસ્થિત કરવાનો છે.ફરિયાદ નોંધણી, ટ્રેકિંગ, એનાલિટિક્સ ડેશબોર્ડ અને AI આધારિત સંવાદ શક્ય બનશે : દેવાંગ દાણી(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ જેવા ઝડપથી વિકાસ પામતા મહાનગરમાં અસરકારક નાગરિક શાસન અને પ્રતિસાદક્ષમ જાહેર સેવા પ્રદાન લાખો નાગરિકોના જીવનની ગુણવત્તા, સામાજિક વિશ્વાસ અને સુવિધા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. શહેરની વસ્તી વધે છે, શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરે છે અને નાગરિકોની અપેક્ષાઓ પણ વધી રહી છે.પરિણામે ફરિયાદોના નિરાકરણમાં વિલંબ, સંચારના વિખરાયેલા માધ્યમો, ડેટા આધારિત નિર્ણય પ્રક્રિયાનો અભાવ અને ફરિયાદ નિવારણમાં પારદર્શિતાની મર્યાદા…
શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન-જેતલપુર, ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ. સ. ૨૦૮૨ ફાગણવદ આઠમ તા. ૧૧-૦૩-૨૦૨૬ના શુભ મંગલ દિવસે ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.જેના ભાગરુપે શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા મોટા મહારાજશ્રી પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય પ. પૂ. ૧૦૮ વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા. ૦૫-૦૩-૨૦૨૬ થી તા.૧૧-૦૩-૨૦૨૬ સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આજનો દિવસ આપણા સૌ માટે સૌભાગ્યની વાત…
