આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય કોલ સેન્ટર, વોટ્સએપ ચેટબોટ, મોબાઈલ એપ, સોશિયલ મીડિયા અને વેબ પોર્ટલ જેવા ફરિયાદોના તમામ અલગ-અલગ માધ્યમોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવીને વ્યવસ્થિત કરવાનો છે.ફરિયાદ નોંધણી, ટ્રેકિંગ, એનાલિટિક્સ ડેશબોર્ડ અને AI આધારિત સંવાદ શક્ય બનશે : દેવાંગ દાણી(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ જેવા ઝડપથી વિકાસ પામતા મહાનગરમાં અસરકારક નાગરિક શાસન અને પ્રતિસાદક્ષમ જાહેર સેવા પ્રદાન લાખો નાગરિકોના જીવનની ગુણવત્તા, સામાજિક વિશ્વાસ અને સુવિધા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. શહેરની વસ્તી વધે છે, શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરે છે અને નાગરિકોની અપેક્ષાઓ પણ વધી રહી છે.પરિણામે ફરિયાદોના નિરાકરણમાં વિલંબ, સંચારના વિખરાયેલા માધ્યમો, ડેટા આધારિત નિર્ણય પ્રક્રિયાનો અભાવ અને ફરિયાદ નિવારણમાં પારદર્શિતાની મર્યાદા…
Author: gujarat
શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન-જેતલપુર, ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ. સ. ૨૦૮૨ ફાગણવદ આઠમ તા. ૧૧-૦૩-૨૦૨૬ના શુભ મંગલ દિવસે ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.જેના ભાગરુપે શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા મોટા મહારાજશ્રી પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય પ. પૂ. ૧૦૮ વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા. ૦૫-૦૩-૨૦૨૬ થી તા.૧૧-૦૩-૨૦૨૬ સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આજનો દિવસ આપણા સૌ માટે સૌભાગ્યની વાત…
અમદાવાદ, 2026માં Akshay Gupta યુરોપના GT4 રેસિંગ ગ્રિડ પર લાઇન અપ થશે — એક એવી સફરનું નવીન અધ્યાય, જે વિશ્વના અગ્રણી રેસ ટ્રેકોથી દૂર, અમદાવાદમાંથી શરૂ થઈ હતી. આજે Nürburgring પર પોડિયમ ફિનિશર અને endurance રેસર તરીકે ઓળખાતા Akshay Gupta માટે GT4માં પ્રવેશ કોઈ અચાનક પગલું નથી, પરંતુ વર્ષોની મહેનત, વિચારીને લીધેલા જોખમો અને પ્રતિભા તથા સતત પ્રયત્ન પ્રિવિલેજને પણ પાછળ છોડી શકે છે એવી અડગ માન્યતાનું પરિણામ છે.ક્લબફૂટ સાથે જન્મેલા અને અમદાવાદના મધ્યવર્ગીય પરિવારમાં ઉછરેલા Akshay Gupta માટે મોટરસ્પોર્ટમાં પ્રવેશવાનો માર્ગ ક્યારેય સરળ રહ્યો નહોતો. બાળપણથી જ તેમને ગતિ અને મશીનો પ્રત્યે આકર્ષણ હતું, પરંતુ આસપાસનો ઇકોસિસ્ટમ પ્રોત્સાહન આપતો…
વિજ્ઞાન ફલક પર વિદ્યાર્થીનીઓનો દબદબો-ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી એ વિજ્ઞાન ક્ષેત્રે નારી શક્તિને કરી રહી છે વધુ સશક્ત; યુનિવર્સિટીના અનેકવિધ સંશોધન – સિદ્ધિઓ નારી શક્તિના નામેગત એક દાયકાથી સંશોધન અને નવીનતા પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા સતત મજબૂત બની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સંશોધન,વિકાસ અને નવીનતા યોજના અંતર્ગત ફાળવવામાં આવેલું રૂ. ૧ લાખ કરોડનું સંશોધન ભંડોળ દેશના સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમના નિર્માણ તરફનું એક ઐતિહાસિક પગલું છે. તેમના ‘જય જવાન,જય કિસાન,જય વિજ્ઞાન,જય અનુસંધાન’ના મંત્રને ગુજરાત ખરા અર્થમાં આત્મસાત કરી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શન હેઠળ તાજેતરમાં જ રાજ્ય દ્વારા સાયન્સ ટેકનોલૉજી એન્ડ ઈનોવેશન પોલિસી ૨૦૨૬-૩૧ જાહેર કરવામાં આવી…
અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પ્રિઝન ઇન્ટરવેન્શન પ્રોગ્રામ અંતર્ગત ઇન્ટેન્સીફાઇડ કેસ ફાઇન્ડિંગ કેમ્પેઇનનો શુભારંભરાજ્યની તમામ જેલોના 20 હજારથી વધુ બંદિવાનોને આવરી લેવામાં આવશેઅમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પ્રિઝન ઇન્ટરવેન્શન પ્રોગ્રામ અંતર્ગત ઇન્ટેન્સીફાઇડ કેસ ફાઇન્ડિંગ કેમ્પેઇનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પેઇન ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, જેલ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન એઇડ્સ કંટ્રોલ સોસાયટી, એલાઇન્સ ઈન્ડિયા દિલ્હી તથા GSNP+ ના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પેઇન રાજ્ય પોલીસ વડા શ્રી કે.એલ.એન.રાવ તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી અશ્વિન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક શ્રી ગૌરવ અગ્રવાલ અને ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. કાર્તિક શાહની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં…
CEO કચેરીની તમામ શાખાઓના અધિકારીશ્રીઓ સાથે પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરીAhmedabad, ભારતના ચૂંટણીપંચે જાહેર કરેલા આદેશ અનુસંધાને 05-03-2026ના રોજ શ્રી સંદીપ સાગલે (IAS)એ મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે ચાર્જ સાંભળ્યો છે. પ્રથમ દિવસથી જ પ્રોએક્ટિવ એપ્રોચ દાખવતા તેમણે CEO કચેરીની તમામ શાખાઓના અધિકારીશ્રીઓ સાથે રાજ્યવ્યાપી તંત્રની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં ચૂંટણી સંચાલન, સંકલન, મતદારયાદી, મીડિયા સેલ, ફરિયાદ, આઈ.ટી. સહિતની વિવિધ શાખાઓના જવાબદાર અધિકારીશ્રીઓ પાસેથી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ વર્તમાન સ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા. જેમાં તેમણે રાજયથી માંડી જિલ્લા સુધી તમામ સ્તરે તાલીમ સુયોગ્ય રીતે થાય તેના પર ભાર મુક્યો હતો. તાલીમ મોડ્યુલમાં રચનાત્મકતા લાવવા તાકીદ કરી હતી.આમ, આગામી…
પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા તથા વધતી મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર બે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવશે. ટ્રેનોની વિગત નીચે મુજબ છે:ટ્રેન નંબર 09027 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ સ્પેશિયલ શનિવાર, 07 માર્ચ 2026ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 23:45 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08:30 કલાકે અમદાવાદ પહોંચશે.તે જ રીતે, ટ્રેન નંબર 09028 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ સોમવાર, 09 માર્ચ 2026ના રોજ અમદાવાદથી 03:00 કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે 11:15 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર રોકાણ કરશે.આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટિયર…
નવી દિલ્હી, ભારતીય મહિલાઓ રેકોર્ડ સંખ્યામાં કાર્યબળમાં જોડાઈ રહી છે, તાજેતરના સરકારી આંકડા અનુસાર તેમની રોજગારી લગભગ બમણી થઈને 40%થી વધુ થઈ ગઈ છે, અને છેલ્લા સાત વર્ષમાં 1.56 કરોડ મહિલાઓ ઔપચારિક નોકરીઓમાં પ્રવેશી છે. જો કે વધતી આર્થિક ભાગીદારી અને લિંગ-કેન્દ્રિત નીતિની ફાળવણીના વિસ્તરણ છતાં, મહિલાઓમાં વ્યક્તિગત આરોગ્ય વીમાની માલિકી અપ્રમાણસર રીતે ઓછી રહે છે, જે પોતાની સુરક્ષાના અંતરને સતત ઉજાગર કરે છે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે, કેર હેલ્થ ઇન્સ્યોરન્સ એ વાત પર ભાર મૂકે છે કે મહિલા પ્રસ્તાવકો હાલમાં તેના વ્યક્તિગત આરોગ્ય વીમાના પોર્ટફોલિયોમાં 28-30% હિસ્સો ધરાવે છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વધી રહ્યો છે. મહિલાઓ દ્વારા પસંદ…
હોળી-ધૂળેટી પર્વ પર ગુજરાત એસ.ટી. નિગમનું સુદ્રઢ આયોજન-ડાકોર રણછોડરાયજીના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ ૩૬૦૦ ટ્રીપ ચલાવવામાં આવીનાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ તહેવારોમાં આ સફળ આયોજન બદલ એસ.ટી. નિગમના ડ્રાઈવર-કંડકટર સહિત સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યાAhmedabad, હોળી અને ધૂળેટીના પર્વ દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ,ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કરવામાં આવેલું એક્સ્ટ્રા બસ સંચાલન ખૂબ જ સફળ રહ્યું હતું. ચાલુ વર્ષે નિગમે ગત વર્ષના તમામ રેકોર્ડ તોડી મુસાફરોને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડી છે. નિગમ દ્વારા આ વર્ષે ૭૪૦૦થી વધુ વધારાની ટ્રીપ દ્વારા ૩.૧૪ લાખ મુસાફરોને સલામત પરિવહન સેવા પૂરી પાડવામાં આવી…
સરકારી આરોગ્ય સેવાની સંવેદનશીલતા; અમદાવાદ અને બનાસકાંઠાના બાળકોને નવજીવન આપતા સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર્સ…અમદાવાદ, બનાસકાંઠાના ખેડૂત પરિવારમાં રમત રમતમાં ભાઈથી ભૂલથી એરગનનું ટ્રિગર દબાઈ જતાં એરગનની ગોળી નાનકડી સુમનબાને વાગી અને ઘટનાની ગંભીરતા જોતાં તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાઈ. જ્યાં ઓપરેશન બાદ આ પેલેટ દૂર કરવામાં આવી અને આજે સુમનબા સંપૂર્ણ સ્વસ્થ છે…જ્યારે અન્ય કિસ્સામાં અમદાવાદના શ્રમિક પરિવારના બાળકને સીટી સ્કેન કર્યા બાદ ખબર પડી કે તેની શ્વાસનળીમાં પથ્થર ફસાયેલો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમે વેન્ટિલેટર સપોર્ટ પર રહેલા આ બાળકનું સફળ ઓપરેશન કર્યુંઅને તેની શ્વાસનળીમાંથી પથ્થર નીકળતા જ સ્થિતિમાં સુધારો થયો અને નવજીવન મળ્યું… આ બંને જટિલ…
