Author: gujarat

કર્મચારી પાસે મોટી રકમ છે તેની જાણ તસ્કરોને હોવાથી, ચોક્કસ સ્થળે રેકી કરીને જ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાનું જણાય છે.(એજન્સી)અમદાવાદ, શહેરના પોશ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં ધોળે દિવસે તસ્કરોએ પોલીસના નાક નીચે આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવ્યો છે. સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે આવેલા ટ્રેડ સેન્ટર બિલ્ડિંગ નજીક તસ્કરોએ ફિલ્મી ઢબે સરનામું પૂછવાના બહાને કર્મચારીનું ધ્યાન ભટકાવ્યું અને તેની એક્ટિવાની ડેકીમાંથી રૂપિયા ૨૦ લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરના આંગડિયા બજાર અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, એક જાણીતી આંગડિયા પેઢીનો કર્મચારી ૨૦ લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ એક્ટિવાની ડેકીમાં મૂકીને જઈ…

Read More

(એજન્સી)અમદાવાદ, સમગ્ર દેશમાં ચોથી માર્ચે ધુળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી હતી ત્યારે ગુજરાતમાં આ રંગોનો પર્વ કેટલાક પરિવાર માટે માતમ લઇને આવ્યો હતો. ધૂળેટી પર્વ પર રંગોથી રમ્યા બાદ તળાવમાં ન્હાવા ગયેલા હોલી રસિકોને કાળ ભરખી ગયો હોવાથી ગુજરાતમાં ૧૦થી વધુ ઘટનઓ સામે આવી છે.ગુજરાતના સુરત, રાજકોટ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, દેવભૂમી દ્વારકા અને નર્મદા સહિતના જિલ્લામાં પાણીમાં ડૂબી જવાથી બાળકો, કિશોરો અને યુવકો સહિક કુલ ૨૪ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે.સુરત માંગરોળના પાનસરા ગામે ૩ના મોતઃ રંગોભર્યા ધૂળેટીના પર્વ પર કરુણ દુર્ઘટનાનો પહેલો કિસ્સો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામેથી સામે આવ્યો છે. પાનસરા ગામે આવેલી આર…

Read More

સુભાષબ્રિજ રીડેલપમેન્ટ માટે રૂ.236 કરોડના ટેન્ડર મંજૂર-હયાતબ્રિજ 9 મહિનામાં તૈયાર થઈ જશે(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત કહી શકાય તેવા સુભાષબ્રિજની રી-સરફેસને નુકશાન થયા બાદ મ્યુનિ. કોર્પોરેશન ઘ્વારા તેને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. તેમજ જુના બ્રિજ રીપેરીંગ અને તેની બંને તરફ નવી બે લેન બનાવવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેને મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી તરફથી મંજૂરી આપવામાં આવી છે.અમદાવાદના હયાત સુભાષબ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડીને નવા બનાવવા અને નવી બે લેન સાથે આખો નવો બ્રિજ બનાવવા માટે કુલ રૂ. 236 કરોડનો ખર્ચ થશે.હયાત સુભાષબ્રિજનું રીડેવલોપમેન્ટની કરવામાં આવશે. જેનું કામ લગભગ 9 મહિનામાં પૂર્ણ થઈ જશે તેમજ ટુ વ્હીલરો અને…

Read More

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટને તા.૦૫/૦૩/૨૦૨૬ના રોજ એક ફરિયાદ મળી હતી. જેમાં ફરિયાદીએ તેમના ભોજનમાં મૃત ગરોળી નીકળી હોવાનું જણાવ્યું હતું. તંત્રને મળેલ ટેલીફોનિક ફરિયાદના આધારે Wah Pizza & Bhel House, 12-13-14, મ્યુ.માર્કેટ, સી.જી.રોડ, નવરંગપુરા, અમદાવાદવાળી જગ્યાની FSSAI / GPMC એક્ટ અન્વયે એફ.એસ.ઓ. દ્વારા ખાદ્ય એકમની તપાસ કરવામાં આવી હતી.. …મ્યુનિસિપલ હેલ્થફૂડ વિભાગના વડા ડો.તેજસ શાહના જણાવ્યા મુજબ ગ્રાહકની ફરિયાદ મુજબ ગ્રાહકે મંગાવેલ ખાદ્ય સામગ્રી ચણાપુરીમાં મૃત ગરોળી જોવા મળી હતી. જેનો ફરીયાદી દ્વારા ફોટોગ્રાફ બતાવેલ અને સ્થળ તપાસ દરમ્યાન તે ફરીયાદ સાચી હોવાનું સાબિત થયું હતું.અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ તપાસ કરતા રેસ્ટોરન્ટમાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી…

Read More

સ્ટેન્ડિંગ કમિટીમાં ₹2500 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી: દેવાંગ દાણી(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ઘ્વારા ગુરુવારે મહાનગરના રૂ.2500 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રૂ.600 કરોડના રોડ પ્રોજેક્ટના કામો છે,આ સિવાય ડ્રેનેજ અને વોટર પ્રોજેક્ટના અલગ-અલગ કામોને મંજૂરી આપવામાં આવી છે, તેના પરિણામે અમદાવાદનો વિકાસ રોકેટગતિએ વૈશ્વિક કક્ષાએ થઈ રહ્યો છે. આગામી સમયમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે ત્યારે, સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ઝડપી થાય તે પ્રકારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ અપાવતા કામોને મંજૂરી આપવામાં આવી છે.મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, નરોડાથી નારોલ સુધી આઈકોનિક રોડની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી તેમજ…

Read More

અમદાવાદ, અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે વહેલી સવારે આગની એક મોટી ઘટના બની છે. શહેર કોટડા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલા સેવ બનાવવાના એક કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.અમદાવાદના કાલુપુર બ્રિજના છેડે અને શહેર કોટડા પોલીસ સ્ટેશનની સામે આવેલા સેવ બનાવવાના કારખાનામાં આજે વહેલી સવારે ૨ઃ૨૩ કલાકે ‘અંગાર કોલ’ (આગનો મેસેજ) મળ્યો હતો. કારખાનામાં રહેલા જ્વલનશીલ પદાર્થાે અને તેલના કારણે આગએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આગની ગંભીરતાને જોતા શહેરના અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી તાત્કાલિક મદદ બોલાવવામાં આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા ચારેબાજુથી પાણીનો મારો…

Read More

અમદાવાદ, ગુજરાતનું આર્થિક પાટનગર અને ‘સેફ સિટી’ ગણાતું અમદાવાદ અત્યારે ક્રાઈમ સિટી બની રહ્યું હોય તેમ જણાય છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં નજીવી બાબતે હત્યા અને હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે.આવી જ એક ચોંકાવનારી ઘટના શહેરના શાહઆલમ વિસ્તારમાં બની છે. જ્યાં માત્ર કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા કારચાલકે કાર વોશિંગની દુકાનમાં ઘૂસી બાપ-દીકરા પર છરીથી જીવલેણ હુમલો કર્યાે હતો.ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, શાહઆલમ વિસ્તારમાં આવેલી એક કાર વોશિંગની દુકાન પાસે એક કારચાલક પોતાની ગાડી પાર્ક કરી રહ્યો હતો. દુકાન માલિકે ત્યાં ગાડી પાર્ક કરવાની ના પાડતા કારચાલક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર…

Read More

સુરત, ધૂળેટીના પવિત્ર તહેવાર પર ગુજરાતમાં બે અલગ-અલગ ડૂબવાની ઘટનાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. અરવલ્લી અને સુરતમાં બનેલી આ કરુણ દુર્ઘટનાઓમાં કુલ ૫ આશાસ્પદ યુવાનો અને બાળકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે હોળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે.અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવા (જાંબુ ફળી) ગામે હૃદયદ્રાવક ઘટના બની છે. ધૂળેટી રમીને શરીર સાફ કરવા માટે ગામના તળાવમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈઓ, રાયચંદ ડામોર અને જૈમીન ડામોર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધોરણ ૫ અને ૬ માં અભ્યાસ કરતા આ માસૂમ બાળકોના મોતથી ડામોર પરિવાર પર આભ તૂટી પડ્યું છે.મોડાસા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ…

Read More

અમદાવાદ, કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી નશીલા પદાર્થાે સાથે ઝડપાયેલા દરિયાપુરના શખ્સને અમદાવાદની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ૧૨ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.ખાસ જજ વી. બી. રાજપૂતે આ ચુકાદો આપતા નોંધ્યું હતું કે, નશીલા પદાર્થાેની હેરાફેરીના કારણે કિશોરો અને વિદ્યાર્થીઓમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે, જેની સમાજ પર ઘાતક અસર પડે છે. આવા કિસ્સામાં આરોપીના વ્યક્તિગત હિત કરતા જાહેર હિત અને સમાજ પરની અસરને ધ્યાને લેવી અનિવાર્ય છે.ડ્રગ્સની બદી સમાજ અને યુવાધનને બરબાદ કરી રહી છે, ત્યારે આવા કિસ્સામાં રહેમ રાખ્યા વગર દાખલો બેસે તેવી સજા કરવી ન્યાયના હિતમાં છે. આ ઉપરાંત આરોપીને બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યાે પણ ફટકાર્યાે…

Read More

‘હેપ્પી પરિવાર’ દ્વારા ‘હેપ્પી ગુજરાત’ બનાવી શકાશે અને એ રીતે ‘હેપ્પી ભારત’નું સ્વપ્ન સાકાર થશેવડાપ્રધાનશ્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ સૂત્રને SMVS જેવી સંસ્થાઓ શિક્ષણ અને સંસ્કાર સાથે આધુનિક ટેકનોલોજીના સમન્વય દ્વારા સાકાર કરી રહી છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલટેકનોલોજીની યુગમાં યુવાનોમાં ચિપ ડિઝાઇન, AI અને એડવાન્સ ટેકનોલોજીના કૌશલ્ય વિકાસ માટે SMVS જેવી સંસ્થાઓ ટેકનિકલ અભ્યાસક્રમો દ્વારા સહયોગી બનેભૂકંપ, પૂર, વાવાઝોડું કે કોરોના જેવી મહામારીમાં SMVS સંસ્થાની સેવાકીય કામગીરી નોંધપાત્રમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક ગુરુદેવ પૂ. બાપજીના ૯૩મા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.‘સાબરમતીના કાંઠે એક આદર્શ શિલ્પી’ થીમ પર આધારિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ SMVSના…

Read More