અમદાવાદ, ગુજરાતનું આર્થિક પાટનગર અને ‘સેફ સિટી’ ગણાતું અમદાવાદ અત્યારે ક્રાઈમ સિટી બની રહ્યું હોય તેમ જણાય છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં નજીવી બાબતે હત્યા અને હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે.આવી જ એક ચોંકાવનારી ઘટના શહેરના શાહઆલમ વિસ્તારમાં બની છે. જ્યાં માત્ર કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા કારચાલકે કાર વોશિંગની દુકાનમાં ઘૂસી બાપ-દીકરા પર છરીથી જીવલેણ હુમલો કર્યાે હતો.ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, શાહઆલમ વિસ્તારમાં આવેલી એક કાર વોશિંગની દુકાન પાસે એક કારચાલક પોતાની ગાડી પાર્ક કરી રહ્યો હતો. દુકાન માલિકે ત્યાં ગાડી પાર્ક કરવાની ના પાડતા કારચાલક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર…
Author: gujarat
સુરત, ધૂળેટીના પવિત્ર તહેવાર પર ગુજરાતમાં બે અલગ-અલગ ડૂબવાની ઘટનાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. અરવલ્લી અને સુરતમાં બનેલી આ કરુણ દુર્ઘટનાઓમાં કુલ ૫ આશાસ્પદ યુવાનો અને બાળકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે હોળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે.અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવા (જાંબુ ફળી) ગામે હૃદયદ્રાવક ઘટના બની છે. ધૂળેટી રમીને શરીર સાફ કરવા માટે ગામના તળાવમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈઓ, રાયચંદ ડામોર અને જૈમીન ડામોર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધોરણ ૫ અને ૬ માં અભ્યાસ કરતા આ માસૂમ બાળકોના મોતથી ડામોર પરિવાર પર આભ તૂટી પડ્યું છે.મોડાસા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ…
અમદાવાદ, કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી નશીલા પદાર્થાે સાથે ઝડપાયેલા દરિયાપુરના શખ્સને અમદાવાદની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ૧૨ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.ખાસ જજ વી. બી. રાજપૂતે આ ચુકાદો આપતા નોંધ્યું હતું કે, નશીલા પદાર્થાેની હેરાફેરીના કારણે કિશોરો અને વિદ્યાર્થીઓમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે, જેની સમાજ પર ઘાતક અસર પડે છે. આવા કિસ્સામાં આરોપીના વ્યક્તિગત હિત કરતા જાહેર હિત અને સમાજ પરની અસરને ધ્યાને લેવી અનિવાર્ય છે.ડ્રગ્સની બદી સમાજ અને યુવાધનને બરબાદ કરી રહી છે, ત્યારે આવા કિસ્સામાં રહેમ રાખ્યા વગર દાખલો બેસે તેવી સજા કરવી ન્યાયના હિતમાં છે. આ ઉપરાંત આરોપીને બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યાે પણ ફટકાર્યાે…
‘હેપ્પી પરિવાર’ દ્વારા ‘હેપ્પી ગુજરાત’ બનાવી શકાશે અને એ રીતે ‘હેપ્પી ભારત’નું સ્વપ્ન સાકાર થશેવડાપ્રધાનશ્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ સૂત્રને SMVS જેવી સંસ્થાઓ શિક્ષણ અને સંસ્કાર સાથે આધુનિક ટેકનોલોજીના સમન્વય દ્વારા સાકાર કરી રહી છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલટેકનોલોજીની યુગમાં યુવાનોમાં ચિપ ડિઝાઇન, AI અને એડવાન્સ ટેકનોલોજીના કૌશલ્ય વિકાસ માટે SMVS જેવી સંસ્થાઓ ટેકનિકલ અભ્યાસક્રમો દ્વારા સહયોગી બનેભૂકંપ, પૂર, વાવાઝોડું કે કોરોના જેવી મહામારીમાં SMVS સંસ્થાની સેવાકીય કામગીરી નોંધપાત્રમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક ગુરુદેવ પૂ. બાપજીના ૯૩મા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.‘સાબરમતીના કાંઠે એક આદર્શ શિલ્પી’ થીમ પર આધારિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ SMVSના…
“દુબઈમાં સ્થિતિ એવી હતી કે આગામી ત્રણ-ચાર દિવસ સુધી કોઈ ફ્લાઈટ આવે તેવી શક્યતા જણાતી નહોતી. 9 માર્ચ સુધીની મોટાભાગની ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી હતી. ત્યાં મંદિરોના દર્શન પણ રદ કરાયા હતા અને બધું જ હજુ બંધ છે.”અમદાવાદ, પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીમાં મોટા પાયે સર્જાયેલા અવરોધો વચ્ચે ગુરુવારે વહેલી સવારે 170 થી વધુ ભારતીય મુસાફરો દુબઈથી સુરક્ષિત રીતે અમદાવાદ પહોંચ્યા હતા.દુબઈથી આવેલી એક સ્પેશિયલ રિલીફ ફ્લાઈટ સવારે 4:40 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરી હતી. આ ફ્લાઈટ એવા મુસાફરોને પરત લાવી હતી જેઓ છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઈટ્સ…
અરવલ્લી જિલ્લામાં નકલી દૂધ કૌભાંડઃ પશુપાલકોના હિતમાં કોંગ્રેસે રણશિંગુ ફૂંક્યું-નકલી દૂધનો કારોબાર બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન જારી રહેશે.(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લાની કેટલીક દૂધ મંડળીઓમાં આચરવામાં આવેલા નકલી દૂધ કૌભાંડ અને ભ્રષ્ટાચાર અંગે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ એકત્ર થઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરશ્રી, પોલીસ અધિક્ષકશ્રી અને જિલ્લા રજિસ્ટ્રારને સુપરત કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અરૂણભાઈ પટેલે સત્તાધીશો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સાબરડેરી સંલગ્ન અરવલ્લીની કેટલીક મંડળીઓમાં જે નકલી દૂધ બિન-સભાસદો દ્વારા દૂધ ભરાવવાનું…
અમારી ગુજરાત કોલેજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છેઃ ર વિદ્યાર્થીએ ખોટી રીતે એફિડેવિટ કરીને પ્રવેશ લીધાનો પણ આચાર્યનો આક્ષેપ(એજન્સી)અમદાવાદ, ગુજરાત આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજ અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયો હોવાનો દાવો કોલેજના પ્રિન્સીપાલે કર્યો છે. તેમણે આર્ટસ વિભાગના ર વિધાર્થી કોલેજની બહાર બેસીને વિધાર્થીનીઓ, પ્રિન્સપાલ તેમજ શૈક્ષણીક સ્ટાફ સાથે ખરાબ વર્તુણુક કરતા હોવાનો આક્ષેપ કરતાં વિવાદ સર્જાયો છે.પ્રિન્સીપાલે કોલેજના બે વિધાર્થીઓએ અગાઉ કયારેય પ્રવેશ ન લીધો હોવાનો ખોટો દાવો કરીને ખોટી રીતે એફીડેવીટ કરીને પ્રવેશ લીધાનો આક્ષેપ કરતાં પ્રત્યાઘાતો પડયા છે. આ અંગે પોલીસ વિભાગમાં એકથી વધુ વાર અરજી કરી હોવાનો દાવો કર્યો છે.તેમના દાવા પ્રમાણે ર૦ર૧માં ધોરણ ૧ર…
દુકાને આવેલો ગઠિયો ર૦ મિનિટમાં વેપારીના નામે લોન લઈ રફુચક્કર(એજન્સી)અમદાવાદ, લોન આપવાના નામે ગઠીયાઓ ફોન કરીને બેંક એકાઉન્ટ સહીતની વિગતો મેળવીને ફેક ડોયુકેમન્ટ મોકલીને સાયબર ફોડને અંજામ આપતા હોવાના અસંખ્ય કિસ્સાઓ પ્રકાશમાં આવી ચુકયા છે. પરંતુ અમદાવાદ ગ્રામ્યમાં એક વિચીત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વેપારી સાથે એક ગઠીયાએ રૂબરૂ આવીને સાયબર ફ્રોડ કર્યું હતું.વેપારીની દુકાને આવેલા ગઠીયાએ વેપારીની મંજુરી ન હોવા છતાં ર૦ જ મિનીટમાં લોન મેળવી લીધી હતી. જે લોનને રકમમાંથી કેટલીક રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. વેપારીએ નજીકની રકમ મેળવી હોવા છતાં આ લોનનો હપ્તો ભરતા હતા.જેથી બાદમાં આ સાયબર ફ્રોડ હોવાની જાણ થતાં…
2 લાખમાંથી માત્ર ૮૩ હજાર રિક્ષામાં જ સ્ટીકર-ચોરી-લૂંટના બનાવો રોકવા પોલીસનું “માય ઓટો સેફ ઓટો” અભિયાન(એજન્સી)અમદાવાદ, અમદાવાદના રોડ રસ્તા પર ફરતી રીક્ષાઓ શહેરની ઓળખ સમાન છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી રીક્ષામાં બેસતા પેસેન્જરો લુંટાતા હોવાના બનાવો સતત વધી રહયા હતા. આ પ્રકારના બનાવો રોકવા માટે શહેર પોલીસે ગત ડીસેમ્બર માસથી માય ઓટો સેફ ઓટો નામનો નવતર પ્રયોગ હાથ ધર્યો હતો.જે અંતર્ગત શહેરમાં ફરતી રીક્ષાઓના માલીક અને ચાલકોની તમામ વિગતો પોલીસ સ્ટેશનના રેકર્ડમાં કેદ કરવામાં આવી રહી છે. પોલીસના આ અભીયાનમાં રીક્ષાની તમામ વિગતો મેળવી લીધા બાદ તે રીક્ષાને એક નંબર આપવામાં આવે છે. અને તે નંબર વાળુ સ્ટિકર રીક્ષાની ફરતે…
ગોધાવી લાઈનથી દર ચોમાસે ગોધાવી અને નીચાણવાળા વિસ્તારોમાં થતા જળબંબાકારની સમસ્યાને કાયમી ઉકેલ આવશે.(એજન્સી)અમદાવાદ, ગોધાવીના ઓલીમ્પીક વીલેજ બનનાર હોવાના કારણે ટીપી ૪પ૭માં પર કરોડના ખર્ચે નવી સ્ટોર્મ વોટર લાઈન નખાશે. ઔડાએ ટીપી પાસ કરી ઝોન ફેર કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં પાયાની સુવિધાઓ વિકસાવવા માટે કામગીરી શરૂ કરાશે.એક વર્ષ પહેલા ગોધાવી એગ્રીકલ્ચર ઝોનમાં હતું પરંતુ ઔડાએ ઝોનફેર કર્યો હતો. એ પછી ડ્રાફટ ટીપી તૈયાર કર્યો બાદ ફાઈનલ ટીપી જાહેર કરાઈ હતી. ગોધાવીમાં રોડ, ગટર, પાણી સહિતની નવી સુવિધા વિકસાવવા માટેનું આયોજન કરાઈ રહયું છે. સૌપ્રથમ સ્ટોર્મ વોટર લાઈન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવશે.ભવીષ્યમાં બનનાર ઓલીમ્પીક વિલેજને ધ્યાનમાં રાખીને અત્યારથી જ પલાનીગ…
